શુક્રવારે રાહુલ ગાંધીએ કોરોના અંતર્ગત એક પ્રેસ કોનફેરેન્સ કરી હતી, જેમાં PM મોદી પર આક્ષેપો કર્યા
પ્રધાનમંત્રી જ કોરોનાની બીજી લહેર માટે જવાબદાર
કોરોનાને રોકવા માટેનું સૌથી મોટું હથિયાર માત્ર વેક્સિન
ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળનું મુખ્ય કારણ પ્રધાનમંત્રી એ કરેલ નૌટંકી છે
પ્રધાનમંત્રી જ કોરોનાની બીજી લહેર માટે જવાબદાર
શુક્રવારે રાહુલગાંધીએ કોરોના અંતર્ગત એક પ્રેસ કોનફેરેન્સ કરી હતી, જેમાં PM મોદી પર આક્ષેપો કર્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે "મે અને બીજા ઘણા વિપક્ષ નેતાઓએ સરકારને ઘણી બધી સલાહો પણ આપી, કોરોનાને લઈ વોર્નિંગ પણ આપી. પણ સરકારે માત્રને માત્ર અમારો મજાક ઉડાવ્યો. આટલું જ નહીં PM મોદીએ તો એવી ઘોષણા કરી કે ભારતના લોકોએ કોરોના પર વિજય મેળવી લીધો છે. સરકારને અને PM મોદીને કોરોના સમજમાં જ નથી આવતો. કોરોના માત્ર એક બીમારી જ નથી, તે સતત બદલાતી અને વધતી બીમારી છે. આપણે જેટલો પણ સમય આ બીમારીને આપીશું અને જેટલી જગ્યા આ બીમારીને આપીશું તો તે વધતી જ રહેશે.
કોરોનાને રોકવા માટેનું સૌથી મોટું હથિયાર માત્ર વેક્સિન
સાથે જ કહ્યું કે જે લોકો પાસે ખાવાનું પણ નથી અને જે લોકો શારીરિક રીતે સક્ષમ નથી તે લોકોને કોરોના ઝડપથી થાય છે. જે લોકોને વધુ બીજા રોગો છે તે લોકોને પણ આ રોગ થઈ રહ્યો છે. કોરોનાને રોકવા માટેનું સૌથી મોટું હથિયાર માત્ર વેક્સિન છે. માસ્ક, સેનેટાઈઝર, લોકડાઉન આ બધા માત્ર ટેમ્પરેરી ઉપાય છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળનું મુખ્ય કારણ પ્રધાનમંત્રી એ કરેલ નૌટંકી છે
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે સરકાર વેક્સિનને લઈ રમત રમી રહી છે, માત્ર 3 ટકા લોકોને હજી સુધી વેક્સિન મળી છે. એટલે કે 97 ટકા લોકોને કોરોના થઈ શકે તેમ છે. બ્રાઝિલે 7 ટકા લોકોને વેક્સિન આપી દીધી છે પણ પહેલી લહેરમાં વાત ન સમજ્યા તો બીજી લહેરમાં જવાબદારી પ્રધાનમંત્રીની જ આવે છે. રાહુલે એકદમ કડક શબ્દોમાં કહ્યું કે કોરોનાની બીજી લહેર માત્રને માત્ર પ્રધાનમંત્રીની નૌટંકીને લીધે જ આવી છે. તેમણે કોરોનાને સમજ્યો જ નથી. મોતના દર પણ જુઠ્ઠા આપવામાં આવી રહ્યા છે. સરકારએ સાચું બોલવું જોઈએ. વધુમાં તેમણે એ પણ કહ્યું કે કોરોનાની ગંભીરતા સમજો, આખી દુનિયા કેમ આપણને જ જવાબદાર ગણી રહી છે? કારણકે ભારતમાં હજી 97 ટકા લોકોમાં કોરોના સંક્રમણ ફેલાઈ શકે તેમ છે.