તમે હંમેશા લોકોને ભગવાનની પૂજા આરતી કે કોઇ શુભ કાર્ય કરતકા સમયે તાળીઓ પાડતા જોયા હશે. કહેવાય છે કે તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને સારું કામ કરવાથઈ આત્મવિશ્વાસ વધે છે. તો તાળીઓ પાડવાનું લાભદાયક ગણવામાં આવે છે.
- એક્યુપ્રેશન સિદ્ધાંત પ્રમાણે આપણા હથેળીમાં આખા શરીરના દબાણ બિંદુ હોય છે. જેને દબાવવાથી જે-તે અંગો સુધી લોહી અને ઓકક્સિજનનો પ્રવાહ પહોંચવા લાગે છે જેનાથી તેને લગતી બીમારીઓ નથી થતી.
- હથેળીમાં આવેલ આ બધા દબાણ બિંદુઓના દબાવાની સૌથી સરળ અને અસરકારક રીત છે તાળી વગાડવી. જ્યારે આપણે તાળી વગાડીએ છીએ તો હથેળી બધા દબાણ બિંદુઓ દબે છે અને સંબંધિત અંગો સુધી લોહી અને ઓક્સિજન આસાનીથી પહોંચી જાય છે.
- તાળીમાં ડાબા હાથની હથેળી પર જમણા હાથની ચારેય આંગળીઓને એકીસાથે તેજ દબાણની સાથે આ પ્રકારે મારવામાં આવે છે કે દબાણ પૂરું થાય અને અવાજ સારી આવે.
- આ પ્રકારે તાળી વગાડવાથી ફેફસા લીવર પિત્તાશય કિડની નાના આંતરડા અને મોટી આંતરડું તથા જમણા હાથની આંગળીઓને દબાવવાથી સાયનસના દબાણ બિંદુ દબાય છે.
- તેનાથી આ અંગો સુધી લોહીનો પ્રવાહ તીવ્ર થવા લાગે છે. આ પ્રકારે તાળીને ત્યાં સુધી વગાડવી જોઈએ જ્યાં સુધી હથેળી લાલ ન થઈ જાય.
- તાળી વગાડવાથી કબજિયાત એસિડિટી મૂત્ર સંક્રમણ લોહીની ખોટ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા રોગોમાં પણ લાભ પહોંચે છે.
-એક્યુપ્રેશર ચિકિત્સકોના બતાવ્યા પ્રમાણે તાળી વગાડવાથી ડિપ્રેશન અનિદ્રા સ્લિપ ડિસ્ક સ્પોગોલાઈટિસ અને આંખોની નબળાઈ જેવી સમસ્યાઓમાં ઘણો લાભ પહોંચે છે.
- આ પ્રકારે નિયમિત રીતે તાળી વગાડીને અનેક રોગો દૂર કરી શકાય છે તથા હેલ્થ પ્રોબ્લેમને દૂર કરી શકાય છે.