લૉકડાઉન બાદ ઓટીટી પ્લેટફોર્મ પર યુઝર્સ વધ્યા છે, અને લોકોએ પણ ફિલ્મો સાથે જાણે છેડો ફાડ્યો અને જાણે વૅબ સિરીઝનો હાથ પકડ્યો છે. હાલમાં તો જ્યાં જોઇએ ત્યાં હર્ષદ મહેતાનો જ જલવો જોવા મળે છે. એક માણસ કે જે હયાત પણ નથી તેમ છતાં લોકો તેના ફેન્સ થઇ ગયા છે.
હર્ષદ મહેતાની માળાના મણકા
હર્ષદ મહેતાની સાથે રહેનાર વ્યક્તિઓ હાલ ક્યાં?
સુચેતા દલાલ અને તેમના પતિ શું કરે છે?
બિગબુલ, આ નામથી ફેમસ સ્ટોક માર્કેટના કિંગ એવા હર્ષદ મહેતાના સ્કેમ પર બનેલી વૅબ સિરીઝ સ્કેમ 1992, કે જેને હંસલ મહેતા અને જય મહેતાએ ડાયરેક્ટ કરી છે. જેનો બેઝ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુની બૂક ધ સ્કેમ, હુ વૉન, હુ લોસ્ટ, હુ ગોટ અવે પરથી લેવામાં આવ્યો છે. સિરીઝ જોઇને દરેકને થતુ હશે કે તે ઓરીજીનલ પાત્રોને જાણે, તો આજે અમે તમને હર્ષદ મહેતા અને તેની સાથે સંકળાયેલા દરેક સાચા પાત્રો વિશે જણાવીશું.
સિરીઝમાં એક પાત્ર છે જે હંમેશા હર્ષદની સાથે હોય છે, તે મૂળ કેતન પારેખ પર બેઝ્ડ છે. કેતન પારેખ ફોર્મર સ્ટોકબ્રોકર છે, જે હર્ષદ માટે કામ કરતો હતો અને સ્કેમમાં પણ ઇન્વોલ્વ હતો. પારેખે બીજુ એક સ્કેમ કરાવડાવ્યુ હતુ અને તેના પર હેરાફેરી કરવાનો આરોપ હતો. જે બાદ 2018માં તેને 3 વર્ષની જેલ થઇ હતી. ઘણા લોકોનું કહેવું છે કે સિરીઝમાં ભૂષણ ભટ્ટનુ પાત્ર છે તે કેતન પારેખ પર આધારિત છે પરંતુ તે સાચુ નથી. ભૂણક એક ફિક્શનલ કેરેક્ટર છે.
સતીષ કૌશિક કે જે મનુ મુન્દ્રાનુ પાત્ર ભજવે છે, તે બીયર ગેંગના ખતરનાક મગજ ધરાવતા મનુ માણેક પર આધારિત છે. કેવિન દવે કે જે રાકેશનો રોલ કરી રહ્યો છે તે હાલના સ્ટોક એક્ચેન્જના બિગ બુલ રાકેશ જુનજુનવાલા પર આધારિત છે. તે મનુની ગેંગમાં ઇનીશીયલી સામેલ હતો. મહેશ્વરીનુ પાત્ર ભજવનાર પરેશ ગણાત્રાની ભૂમિકા રાધાકીશન દામાણી પર આધારિત છે કે જે ડી માર્ટ ચેઇનના ફાઉન્ડર છે.
દામાણીએ માર્કેટના બધા જ દાવપેચ શીખી લીધા અને બાદમાં ડી માર્ટ તરફ વળ્યાં. તે હાલ પણ નીચી પ્રોફાઇલમાં જીવવાનુ પસંદ કરે છે. સિરીઝમાં એક મની માર્કેટ બ્રોકર બતાવે છે તેનું નામ અજય કેડિયા છે, તે પાત્ર રિયલ લાઇફ અજય કયાન પર આધારિત છે. કયાન પણ બીયર ગેંગનો પાર્ટ રહી ચૂક્યો છે.
હર્ષદના પરિવાર વિશે જો વાત કરીએ તો, તેમના ભાઇ અશ્વિન મહેતાને 2018માં 105 કરોડના એસબીઆઇ ફ્રોડના ગુનામાં નિર્દોષ જાહેર કરાયા હતા. તો બીજી તરફ હર્ષદની પત્ની જ્યોતિએ પણ દલાલ બ્રોકર સામે જંગ જીતી લીધી હતી, હર્ષદનો પુત્ર અતુર મહેતા ક્યાં છે તેની ચોક્કસ માહિતી મળી શકી નથી.
આ સ્કેમ પર જેણે પ્રકાશ પાડ્યો તે પત્રકાર સુચેતા દલાલ હાલ મનીલાઇફના મેનેજીંગ એડિટર તરીકે કામ કરી રહ્યાં છે અને તેમના પતિ દેબાશિષ બાસુ કે જેમણે આ સ્કેમનો પર્દાફાશ કરવામાં તેમની મદદ કરી હતી તે મનીલાઇફના ફાઉન્ડર, એડિટર અને પબ્લિશર છે.
રસપ્રદ વાત તો તે છે કે હર્ષદ મહેતા અને કેતન પારેખ સિવાય કોઇ પણ પાત્ર સજાને પાત્ર નથી બન્યું.