મનુષ્ય જીવનમાં આપત્તીઓમાંથી રક્ષણ એટલે જ રક્ષાબંધન. મનુષ્ય જીવન માં અંતઃકરણ થી મેળવેલા આશીર્વાદ એટલે જ રક્ષા બંધન.
આપણાં પુરાણોમાં ઘણા બધા એવા ઘટના પણ જોવા મળશે જ્યાં બહેન પોતાના ભાઈની પત્ની પોતાના પતિની ગુરૂ પોતાના શિષ્ય ની રક્ષા માટે રક્ષાસુત્ર બાંધે છે પણ આજના યુગમાં ખાસ કરીને ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. જે બહેન પોતાના ભાઈના દીર્ઘાયુ પ્રગતિ પ્રતિષ્ઠા અને ભાઈની દરેક જગ્યાએથી રક્ષા થાય અને બહેન જ્યારે પણ સંકટમાં હોય તો બહેનની રક્ષા કાજે આવે એવી શુધ્ધ ભાવનાથી ભાઈ ને રક્ષાસુત્ર બાંધે એજ રક્ષાબંધન.
પુર્ણીમા સાંજે 5:27 મીનીટ સુધી છે અને તે પહેલાં રક્ષાસુત્ર શ્રેષ્ઠ મુહુર્તમા બાંધવું એ અતિ શુભકારી છે.
રક્ષાસુત્ર બાંધવાનુ શ્રેષ્ઠ મુહુર્ત
સવારે 6:19 થી 8:26
સવારે 11:37 થી બપોરે 1:06
બપોરે 1:44 થી 3:52 આ મુહુર્તો શ્રેષ્ઠ છે
અભિજીત મુહુર્ત એટલે બપોરે 12:15 થી 1:06 સુધી સર્વ શ્રેષ્ઠ છે જે દરેક કાર્યમાં વિજય અપાવે.