રાજકોટનો પરિવાર ઋષિકેશમાં ગંગા નદીમાં તણાયો, પરિવાર તણાયા પહેલાનો અંતિમ વીડિયો સામે આવ્યો, દીકરી પિતા સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને..’ ગીત બનાવ્યું, તેના પિતા ખુશખુશાલ જોવા મળી
રાજકોટનો પરિવાર ઋષિકેશમાં ગંગા નદીમાં તણાયો
તણાયા પહેલાનો પરિવારનો અંતિમ વીડિયો સામે આવ્યો
પરિવારના 3 સભ્યો ડૂબ્યા બતા ઋષિકેશ નદીમાં
દિવાળી ટાણે જ રાજકોટમાં એક કરુણાંતિકા સર્જાઈ છે, રાજકોટના 3 સભ્યોનો પરિવાર ઋષિકેશમાં ગંગા નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે, રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતો પરિવાર ઋષિકેશ ફરવા ગયો તે સમયે આ દુઘર્ટના સર્જાઈ અને પરિવારની તમામ ખુશીઓ નદીના પ્રવાહમાં તણાઈ ગઈ .
રાજકોટનો પરિવાર ઋષિકેશમાં ગંગા નદીમાં તણાયો
સ્પીપામાં ફરજ બજાવતા દિલીપ કારીયા પરિવાર સાથે હરિદ્વાર ગયા હતા. ત્યારે ઋષિકેશમાં ગંગા નદીમાં દિલીપ ભાઈની પૌત્રી, પત્ની અને જમાઈ પણ તણાયા હતા. ઋષિકેશ ફરવા ગયેલા પરિવારમાં રહેલી નાની દીકરી જ્યારે ગંગા નદીના પ્રવાહમાં ડૂબવા લાગી ત્યારે તેને બચાવવા પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા પરતું દીકરી સાથે નાની, જમાઈ અને પિતા નદીમાં કૂદ્યા હતા જો કે એક સાથે આ ત્રણેય લોકો નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમાં દિલીપ કારીયાના પત્ની ચારૂલતાબેનનો મૃતદેહ મળ્યો છે. જ્યારે સોનલ અને જમાઈ અનિલકુમારની શોધખોળ ચાલુ છે.
તણાયા પહેલાનો પરિવારનો અંતિમ વીડિયો સામે આવ્યો
મહત્વનું છે કે પરિવાર ગંગા નદીમાં તણાયો તે પહેલા દીકરી પિતા સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને...’ ગીત બનાવ્યું હતું, જેમાં દીકરી અને તેના પિતા ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે અને એકબીજાને ભેટી પડે છે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પિતા-પુત્રીની આ ખુશીનો વીડિયો અંતિમ બની જશે. દિવાળીના સમયે જ રાજકોટના આમ વિખરાઈ જશે, ઘટના બાદ સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાયો છે.
પરિવારના 3 સભ્યો ડૂબ્યા બતા ઋષિકેશ નદીમાં
મહત્વનું છે કે નદીના પ્રવાહમાં તણાઈ જતા પહેલા દીકરીએ એક બીજો વીડિયો બનાવ્યો હતો જેમાં તે કહી રહી છે કે ‘ક્યાં વઝાહ બતાઉ તુમ્હે ચાહને કી...બસ તુમ અચ્છે લગે ઔર ઇશ્ક હો ગયા’ ડાયલોગ સાથે એક્શન કરતી જોવા મળે છે. આ બંને વીડિયો પરિવાર માટે ખુશીની ક્ષણનો અંતિમ વીડિયો બની જશે એવું આ પરિવારે વિચાર્યું પણ નહીં અને દુઘર્ટના બની ગઈ અને થોડી ક્ષણોમાં જ પરિવારની તમામ ખુશીઓ નદીના પ્રવાહમાં તણાઈ ગઈ
શહેર ભાજપ પ્રમુખ પરિવારના સતત સંપર્કમાં
રાજકોટના રઘુવંશી પરિવારના ત્રણ સભ્યો ઋષિકેશમાં તણાયાની ઘટનાની જાણ થતાં રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણીએ દિલીપભાઇ કારિયાનો સંપર્ક શોધી તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ઋષિકેશમાં તેમને તમામ મદદ મળી રહે એવી વ્યવસ્થા પણ કરી અપાવી હતી. કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે દિલીપભાઇ સાથે વાત થયા મુજબ તેમનાં પત્ની તરુલતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.