રાજકોટ પોલીસ કમિશનર સામે કથિત તોડકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સિંગલ ઓર્ડરથી જૂનાગઢ બદલી કરાઇ
રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડનો મામલો
MLA ગોવિંદ પટેલે સરકારનો માન્યો આભાર
સરકારે સખીયા પરિવારને ન્યાય અપાવ્યો : ગોવિંદ પટેલ
રાજકોટ પોલીસ કમિશનર સામે કથિત તોડકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે મનોજ અગ્રવાલને સિંગલ ઓર્ડરથી SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI વિરલ સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ભાજપના MLA ગોવિંદ પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો
સરકારે સખીયા પરિવારને ન્યાય અપાવ્યો: ગોવિંદ પટેલ
રાજકોટ પોલીસ કમિશનર સામે તોડકાંડ મામલે રાજ્ય સરાકરે કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. આ મામલે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાજકોટના ફરિયાદી આ વાત સરકારે સાંભળી છે. આ મામલે સરકારે તાત્કાલિક ન્યાય અપવાતા હું રાજ્ય સરકારનો આભાર માનું છું
IPS વિકાસ સહાય 200 પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો હતો
ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કથિત તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસ અંગે 200 પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ રીપોર્ટના આધારે કાર્યવાહી કરાશે તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.