રેલવે વિભાગ દ્વારા રેલવે ટ્રેકની મરામત્ત અને સ્ટેશનનોનું નવીની કરણની કામગરીના કારણે કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ અને કેટલીક રી-શિડ્યુલ કરાઈ
પ્રી-નોન ઈન્ટરલોક કાર્ય અને સ્ટેશનનું નવીનીકરણ કામગીરીના કારણે ટ્રેનો રદ્દ
ઉત્તર રેલવે વિભાગની 6 સ્પેશીયલ ટ્રેનો રદ્દ અને 1 ટ્રેન 30 મિનીટ મોડી દોડશે
ઉત્તર રેલવે વિભાગના રાયબરેલી સ્ટેશન પર પ્રી-નોન ઈન્ટરલોક કાર્ય તથા ગંગાગંજ-રાયબરેલી-રૂપામાળ સ્ટેશનનું નવીનીકરણની કામગીરી ચાલી રહી હોવાથી પૂર્વોત્તર રેલવે વિભાગ અંતર્ગત દોડતી કેટલીક ટ્રેનોને રદ્દ કરવાનો અને કેટલીક ટ્રેનો રી-શિડ્યુલ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.તો જો તમે આ ટ્રેનમાં મુસાફરી કરવાના હોય જોઈ લેજો નહીંતર તમારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવશે
આ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
કોલકત્તા થી 2 જી અને 9મી સપ્ટેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન નં.03167 કોલકત્તા-આગરા કેંટ સ્પેશીયલ ટ્રેન રદ્દ રહેશ
આગરા કેંટથી 4થી અને 11મી સપ્ટેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન નં. 03168 આગરા કેંટ-કોલકત્તા સ્પેશીયલ ટ્રેન રદ્દ રહેશે
સિંગરૌલી થી 5મી અને 14મી સપ્ટેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન નં. 0573 સિંગરૌલી-ટનકપુર સ્પેશીયલ ટ્રેન રદ્દ રહેશે
ટનકપુરથી 4થી અને 13મી સપ્ટેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન નં. 05074 ટનકપુર-સિંગરૌલી સ્પેશીયલ ટ્રેન રદ્દ રહેશે
શક્તિનગરથી 5મી અને 14મી સપ્ટેમ્બરના રોજ ઉપડનાર ટ્રેન નં. 05075 શક્તિનગર-ટનકપુર સ્પેશીયલ ટ્રેન રદ્દ રહેશે
ટનકપુરથી 4થી અને 13મી સપ્ટેમ્બરથી ઉપડનારી ટ્રેન.નં. 05076 ટનકપુર-શક્તિનગર સ્પેશીયલ ટ્રેન રદ્દ રહેશે.
આ ટ્રેનોને રીશીડ્યુલ કરાઈ છે
બનારસ થી 04,05,06,08 અને 10મી સપ્ટેમ્બરના રોજ ઉપડનારી ટ્રેન નં. 05127 બનારસ-નવી દિલ્લી સ્પેશીયલ ટ્રેન બનારસ થી રીશીડ્યુલ કરી 30 મિનીટ મોડી દોડાવવામાં આવશે.