રેલવે યાત્રા કરનાર લોકો માટે મોટી ખબર છે. રેલ મંત્રાલયે પ્રવાસીઓની સુવિધા માટે ટ્રેનોમાં જનરલ ડબ્બાની જુની સુવિધા ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.
રેલવેએ પ્રવાસીઓને આપી મોટી રાહત
મુસાફરો હવેથી જનરલ ટિકિટ લઈ શકશે
જનરલ ટિકિટ પર કરી શકશે મુસાફરી
રેલવે મંત્રાલયે એક પ્રેસ રિલિઝ જારી કરીને જણાવ્યું કે તમામ ટ્રેનોને હવે પહેલાની જેમ કરી દેવાઈ છે અને જનરલ ડબ્બામાં પણ જુની વ્યવસ્થા ફરી શરુ કરી દેવાઈ છે. હવે પ્રવાસીઓ પહેલાની જેમ ટ્રેનમાં ટિકિટ લઈને પ્રવાસ કરી શકશે. સાથે હવે પ્રવાસીઓને જનરલ ટિકિટ લેવામાં પણ કોઈ તકલીફ નહીં પડે. નોંધનીય છે કે કોરોના મહામારી બાદ રેલવેએ ટ્રેનોમાંથી અનરિઝર્વ્ડ કોચ હટાવ્યા હતા.
જનરલ ટિકિટ લઈને મુસાફરી કરી શકાશે
રેલ્વે મંત્રાલયે એક રિલીઝમાં કહ્યું કે ટ્રેનોમાં જનરલ કોચની જૂની સિસ્ટમને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે લોકો પહેલાની જેમ જનરલ ટિકિટ લઈને મુસાફરી કરી શકશે. મુસાફરો હવે મહામારી પહેલાની વ્યવસ્થાની જેમ સેકન્ડ ક્લાસ કોચમાં મુસાફરી કરવા સ્ટેશન પર જઈને જનરલ ટિકિટ ખરીદી શકશે.
હોળી પહેલા મુસાફરોને ભેટ
હોળી પહેલા રેલવે મુસાફરોને રેલ્વે દ્વારા આપવામાં આવેલ આ એક મોટી ભેટ છે. જો તમને પણ હોળી પર ઘરે જવા માટે ટ્રેનમાં રિઝર્વેશન નથી મળી રહ્યું તો તમે જલ્દી જ જનરલ ટિકિટ લઈને જનરલ ડબ્બામાં મુસાફરી કરી શકો છો. રેલવે દ્વારા લેવામાં આવેલા આ પગલાથી હોળીના દિવસે ઘરે જતા લોકોને મોટી રાહત થશે.
મુસાફરોએ સેકન્ડ ક્લાસની રિઝર્વેશન ટિકિટ પણ લેવી પડશે
રેલ્વેએ કોરોના મહામારીને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ટ્રેનોમાંથી જનરલ કોચની વ્યવસ્થા કાઢી નાખી હતી. આ પછી મુસાફરોએ સેકન્ડ ક્લાસ માટે પણ અગાઉથી રિઝર્વેશન કરાવવું પડવું હતું. જેના કારણે ખાસ કરીને ગામડાઓ અને શહેરોના લોકોને ઘણી અગવડતા પડી હતી. રેલવેના જણાવ્યા અનુસાર, હવે લાંબી મુસાફરીની ટ્રેનોની અનરિઝર્વ્ડ ટિકિટોનું વેચાણ પણ ટૂંક સમયમાં શરૂ થશે. જેના દ્વારા મુસાફરો જનરલ ટિકિટ ખરીદીને જનરલ કોચમાં મુસાફરી કરી શકશે.