આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતમાં એક એવી રેલવે લાઈન છે જે હજુ પણ અંગ્રેજોના કબજામાં છે. આ રેલવે લાઇન માટે દર વર્ષે અંગ્રેજોને કરોડો રૂપિયાની રોયલ્ટી આપવામાં આવે છે.
1952માં ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું
યવતમાલથી અચલપુર વચ્ચે લગભગ 190 કિલોમીટર લાંબો ટ્રેક છે
ભારત સરકારે આ રેલવે ટ્રેકને ઘણી વખત ખરીદવાની કોશિશ કરી
ભારતને રેલવે અંગ્રેજોએ જ આપી છે એમાં કોઈ શંકા નથી. પરંતુ તેમણે ભારતમાં રેલવેનું નિર્માણ એટલે કર્યું જેથી તેઓ સરળતાથી ભારતમાંથી લૂંટાયેલા સામાનને બંદરો સુધી પહોંચાડી શકે, જ્યાંથી તેને ઈંગ્લેન્ડ લઈ જઈ શકાય. આ સાથે અંગ્રેજોએ એક જગ્યાએથી બીજા સ્થળે સુરક્ષિત અને ઝડપથી પહોંચવા માટે રેલવેનું નિર્માણ કર્યું હતું. પરંતુ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તેની સાથે અંગ્રેજોની આ રેલ્વે પણ ભારતીય રેલવે બની ગઈ. તેમાં ઘણા ફેરફારો પણ થયા. સમય-સમય પર તેને સુધારવા માટે કામ કરવામાં આવતું હતું. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતમાં એક એવી રેલવે લાઈન છે જે હજુ પણ અંગ્રેજોના કબજામાં છે. આ રેલવે લાઇન માટે દર વર્ષે અંગ્રેજોને કરોડો રૂપિયાની રોયલ્ટી આપવામાં આવે છે. ચાલો તમને તે ખાસ રેલવે લાઇન વિશે જણાવીએ.
ક્યાં છે આ રેલવે લાઈન
આ રેલવે લાઇનને શકુંતલા રેલ ટ્રેક કહેવામાં આવે છે. તે મહારાષ્ટ્રના યવતમાલથી અચલપુર વચ્ચે લગભગ 190 કિલોમીટર લાંબો ટ્રેક છે. આજે પણ શકુંતલા પેસેન્જર આ ટ્રેક પર ચાલે છે, જે અહીંના સ્થાનિક લોકો માટે લાઈફલાઈન માનવામાં આવે છે. ભારત સરકારે આ રેલવે ટ્રેકને ઘણી વખત ખરીદવાની કોશિશ કરી પરંતુ આજ દિવસ સુધી તેને ખરીદી શકી નથી.
કોના કબજામાં છે આ રેલવે
વર્ષ 1952માં જ્યારે ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પણ દેશનો એક એવો રેલવે ટ્રેક બચી ગયો હતો જેને તેમાં સામેલ કરવામાં આવ્યો નહી. આ રેલવે ટ્રેક એક બ્રિટિશ કંપનીની માલિકી હેઠળ આવતો હતો. આજે પણ તેના પર તેનો અધિકાર છે. બ્રિટનની ક્લિક નિક્સન એન્ડ કંપનીનું ભારતીય યુનિટ સેન્ટ્રલ પ્રોવિઝન રેલવે કંપનીને દર વર્ષે કરોડો રૂપિયાની રોયલ્ટી ચૂકવે છે.
આ ટ્રેન છેલ્લા 70 વર્ષથી સ્ટીમ એન્જિનથી દોડતી રહી. પરંતુ વર્ષ 1994 પછી, સ્ટીમ એન્જિનને બદલીને ડીઝલ એન્જિન કરવામાં આવ્યું. આ સાથે આ ટ્રેનની બોગીની સંખ્યા પણ વધારીને 7 કરવામાં આવી છે. અચલપુરથી યવતમાલ વચ્ચે કુલ 17 સ્ટેશન છે અને આ ટ્રેન દરેક સ્ટેશન પર ઉભી રહે છે. આ ટ્રેન 190 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 6 થી 7 કલાક લે છે. જોકે, કેટલાક કારણોસર આ ટ્રેન હાલમાં બંધ પડી છે. પરંતુ હજુ પણ આ રેલ્વે ટ્રેક જોવા માટે પ્રવાસીઓ અચલપુરથી યવતમાલ આવે છે.