કચ્છમાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન થયાં છે. ઓછા વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે જ અપૂરતા ઘાસ અને પાણીના અભાવના કારણે પશુઓની પણ દયનિય સ્થિતિ થઈ છે. પશુઓને પાણી અને ઘાસ મળી રહે તે માટે માલધારીઓ હિજરત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. ખાસ કરીને કચ્છમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે જ્યારે કચ્છના અનેક વિસ્તારમાં પીવાના પાણીની પણ અછત જોવા મળી રહી છે.
પાણીની આ સમસ્યાને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરી દેવા સૂચના આપી હતી. જેને લઈને ટપ્પર ડેમને 500 મિલિયન કયુબેક ફીટ પાણીથી ભરી દેવામાં આવ્યું હતું.
પરંતુ તેમ છતાં પાણીની સમસ્યાનો સામનો કચ્છની પ્રજાનો કરવો પડ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા આગામી 5 દિવસ સુધી પાણીકાપ મુકવાની જાહેરાત કરતા નગરજનોની હાલત કફોડી બની હતી.
આ સાથે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. તો આ તરફ ઘાસ અને પાણીના અભાવે પશુઓની પણ હાલત ખરાબ થઇ છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તકેદારીના પગલાના ભાગરૂપે કચ્છી માડુંઓ માટે સહાય જાહેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.