The Prime Minister will inaugurate and inaugurate development works worth crores today. What was predicted by Ambalal when the building collapsed in Vejalpur?
ન્યૂઝ અપડેટ /
વડાપ્રઘાન આજે કરશે કરોડોનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, અંબાલાલ દ્વારા શું આગાહી કરાઈ, જુઓ સમાચાર સુપર ફાસ્ટ
Team VTV07:15 AM, 12 May 23
| Updated: 03:05 PM, 12 May 23
ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ આજે વડાપ્રધાન કરોડોનાં વિકાસ કામોનું ખાત મુર્હત કરવાનાં છે. રાજ્યમાં હીટવેવને લઈને આરોગ્ય વિભાગ દ્વારા દરેક જીલ્લા કક્ષાએ તૈયારીઓ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. તે ઈમરાનખાનને સુપ્રિમ કોર્ટ દ્વારા છોડી મુકાયો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 મેના રોજ એક દિવસ ગુજરાતની મુલાકાત આવવાના છે. એક દિવસીય પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક મહાસંઘનાં 29 માં દ્વિવાર્ષિક સંમેલનમાં હાજરી આપશે. જે બાદ રૂા. 4400 કરોડનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. તેમજ ગિફ્ટ સીટી ખાતે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટીની મુલાકાત લેશે.
પંચમહાલના પાવાગઢ માચીમાં વિશ્રામ કુટિરનો ઢાંચો ધરાસાઈ થવા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વિશ્રામ કુટીર ઉતારતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન વધુ ત્રણ લોકો દટાયા હતા.આથી બચાવ ટૂકળી તાબડતોબ દોડી આવી હતી. જ્યા 3 કામદારોને બહાર કાઢી સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન 2 કામદારોની સ્થિતિ ગંભીર હોવાનું હોસ્પિટલના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. તો આ મામલે જાણ થતા પોલીસ અને વહીવટીતંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આવેલ સોનલ સિનેમા પાસે યાશમીન ફ્લેટની અંદર આવેલા ગોલ્ડન નામું ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાયી થયું હતું. અગાઉ આ ફ્લેટ જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે મોટા ભાગનાં પરિવારો પહેલેથી જ ફ્લેટ ખાલી કરીને જતા રહ્યા હતા. જ્યારે એક બે પરિવાર જ ફ્લેટમાં રહેતા હતા. ત્યારે અંદાજે સાતથી દશ લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યારે પોલીસ અને ફાયર બ્રિગ્રેડ દ્વારા તાત્કાલીક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે મળતી માહિતી મુજબ કુલ 26 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગર-ખંભાળિયા હાઈવે પર ખટીયા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. જ્યારે 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બે કાર વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની કોઈ વિગત મળવા પામી નથી.
અમદાવાદથી રાજકોટ જતા ચોટીલાથી 16 કિલોમીટર પહેલા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે નં. 47 પર વાહનોની અવર જવર પણ વધારે રહેતી હોઈ હાલ સમગ્ર હાઈવે 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ સર્જાવા પામ્યો છે. અમદાવાદથી રાજકોટ જતી વખતે સાયલા અનો ડોળીયા બાઉન્ડરી વચ્ચે શાપર ગામ પાસે અચાનક પુલ બેસી જતા વાહન વ્યવહાર થોડીવાર માટે થંભી જવા પામ્યો હતો. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટાના સ્થળે પહોંચી વનવે કરી વાહનોની અવર જવર શરૂ કરાવી હતી.
પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ ચીફ અને પૂર્વ પીએમ ઈમરાન ખાનને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. એક દિવસ પહેલા એનસીબીએ તેમની ઈસ્લામાબાદ કોર્ટમાંથી ધરપકડ કરી હતી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમીની સાથે હીટવેવની આગાહી કરી છે. રાજ્યમાં કમોસમી માવઠા બાદ હવે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12 મેથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં આંધી-વંટોળ જોવા મળશે. આ સાથે 18 તારીખ સુધી ગુજરાતમાં ભારે ગરમી અનુભવાશે.
ગુજરાતમાં અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્તમાન ઉનાળાની સિઝનમાં પહેલી વખત અમદાવાદીઓને ઓરેન્જ એલર્ટ સાથે પનારો પડવાનો છે. આ દરમિયાન હવે આરોગ્ય વિભાગે આગમચેતી રૂપે જિલ્લાઓને પત્રો દ્વારા જાણ કરી છે. જેમાં જિલ્લા કક્ષાએ આરોગ્ય અધિકારીઓને હીટવેવની તૈયારી કરવા સૂચના અપાઈ છે.
વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કામરેજની વિશ્વાભારતી કોલેજમાં 6 એપ્રિલના રોજ યોજાયેલ અંગ્રેજી વિષયની પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના સામે આવી હતી. યુનિવર્સિટી સ્પેશિયલ સ્ક્વોડે કોલેજમાં ચેકિંગ કરતા કોપી કેસ પકડાયા બાદ આ તરફ તપાસને અંતે હવે માસ કોપી કેસમાં ઝડપાયેલ તમામ 28 વિદ્યાર્થિનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ ફેક્ટ કમિટી દ્વારા સુનાવણી બાદ 28 વિદ્યાર્થિનીઓને ઝીરો માર્ક સાથે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં એક મહિલા અને એક યુવકનું મોત થયું છે.
અમદાવાદ હવે ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો બાઈક પર પ્રતિબંધ જાહેર કર્યો છે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે.
ટ્રાંસફર-પોસ્ટિંગ પર SCનાં નિર્ણયનાં કેટલાક કલાકો બાદ જ દિલ્હમાં કેજરીવાલ સરકારે સેવા સચિવ આશીષ મોરેને હટાવ્યાં છે. અધિકારીઓએ આ વાતની જાણકારી મીડિયાને આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની AAP સરકારને મોટી રાહત આપતાં SCએ નિર્ણય આપ્યો કે લોક વ્યવસ્થા, પોલીસ અને જમીન જેવા વિષયોને છોડીને અન્ય સેવાઓ પર દિલ્હી સરકારની પાસે કાનૂની અને વહીવટી નિયંત્રણ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જેડીયુના પૂર્વ નેતા RCP સિંહ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપમાં જોડાતાં જ તેમણે તેમના પૂર્વ બોસ અને સીએમ નીતિશ કુમારની જોરદાર મશ્કરી કરી હતી.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો મોટી બેંચને મોકલવામાં આવશે. CJIએ કહ્યું, નબામ રેબિયા કેસમાં ઉઠાવવામાં આવેલ પ્રશ્નને મોટી બેંચને મોકલવામાં આવે. કારણ કે તેને વધુ સ્પષ્ટતાની જરૂર છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિવસેના પક્ષના મુખ્ય દંડક તરીકે ગોગાવાલે (શિંદે જૂથ)ની નિમણૂક કરવાનો સ્પીકરના નિર્ણય ગેરકાયદેસર હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સ્પીકરે રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા વ્હીપને જ માન્યતા આપવી જોઈએ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતાઓ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. જેનિફરે પ્રોજેક્ટ મેનેજર, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને મેકર્સ સામે જાતીય સતામણીનો આરોપ લગાવતા પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે.