વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમણે 26 જાન્યુઆરીનાં પ્રસંગે નેશનલ વોર મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. તેમજ શહીદોને સત્ સત્ નમન કર્યાં હતાં.
નરેન્દ્ર મોદીએ વોર મ્યુઝિયમની મુલાકાત લીધી
સેનાની ત્રણેય પાંખે મોદીની આગેવાની કરી
મોદી મ્યુઝિયમ મુલાકાત દરમિયાન ભાવુક થયા
Delhi: PM Modi arrives at the National War Memorial at India Gate. The PM is received by the Defence Minister Rajnath Singh, the first ever Chief of Defence Staff Gen Bipin Rawat, Army Chief Gen Naravane, Navy Chief Admiral Karambir Singh, Air Force Chief Air Marshal RKS Bhaduria pic.twitter.com/dL0p3EjPaX
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમણે પહેલીવાર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (નેશનલ વોર મ્યુઝિયમ)ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ચીફ ઓફ ડિફેંસ અને સેનાનાં ત્રણેય પાંખોનાં પ્રમુખે તેમની આગેવાની કરી હતી.
એન્ટી સેટેલાઈટ વેપન સિસ્ટમનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું
આ ગણતંત્ર દિવસે પરેડનાં નવા આકર્ષણ ધનુષ 145 એમએમ 52 કૈલિબર હોવિત્જર તોપનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેનો હાલમાં જ સેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે . DRDO તરફથી એન્ટી સેટેલાઈટ વેપન સિસ્ટમનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું.
પહેલાં અહીં અપાતી હતી શ્રદ્ધાંજલિ
PM મોદી દ્વારા પ્રથમ વખત વોર મેમોરિયલમાં શ્રદ્ધાંજલિ આપી હતી. અત્યાર સુધી અમર જવાન જ્યોતિ પર શ્રદ્ધાંજલિ અપાતી હતી. આ પરંપરા 1971માં ઇન્દિરા ગાંધીએ શરૂ કરી હતી. વોર મેમોરિયલમાં યુદ્ધમાં શહીદ જવાનોનાં નામ લખ્યા છે
દિલ્હી પોલીસે આ માર્ગો અવોઈડ કરવા સલાહ આપી
ગણતંત્ર દિવસે પરેડનાં આયોજનને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીમાં કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. આજે ચાર મટ્રો સ્ટેશન પણ થોડોક સમય બંધ રહેશે. જેમાં કેન્દ્રીય સચિવાલય અને ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 26 જાન્યુઆરીની સવારે 5 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધી કેન્દ્રીય સચિવાલયો, ઉદ્યોગ ભવન, કલ્યાણ માર્ગ, પટેલ ચોક મેટ્રોસ્ટેશન બંધ રહેશે. દિલ્હી ટ્રાફિક પોલીસે લોકોને અસુવિધાથી બચવા માટે આ તમામ જગ્યા અને રસ્તાને અવોઈડ કરવા માટે સલાહ આપી છે.