વાયબ્રંટ સમિટ 2019માં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગૌતમ અદાણીએ નિવેદન આપ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રંટ ગુજરાતના આર્કિટેક્ટ છે. આગામી દિવસોમાં 1 ગીગા બાઈટ ડેટા સેન્ટર બનાવાશે.
ભારત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ દેશ છે. ભારત વિશ્વ અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. વાયબ્રંટના કારણે ઘણું રોકાણ ગુજરાતમાં નહીં દેશભરમાં આવ્યું છે. ત્યારબાદ તેમણે રોકાણ કરવા માટે જણાવતા કહ્યું કે અદાણી ગ્રુપ આવતા પાંચ વર્ષમાં 55 હજાર કરોડનું રોકાણ કરશે.
આપને જણાવી દઇએ કે ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી સુધી વાયબ્રંટ સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે. વાયબ્રંટ સમિટમાં ભાગ લેવા માટે 15 દેશોના ડેલિગેશન ગાંધીનગરમાં પહોંચ્યા છે. દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ ભાગ લેવા માટે ગાંધીનગરમાં આવ્યા છે.
શું રહેશે આજના દિવસનો કાર્યક્રમ...?
આ સેશન સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલશે અને ત્યાર બાદ બપોરે 1 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી અલગ-અલગ બેઠકો યોજાશે. જેમાં બિઝનેસ ટૂ બિઝનેસ અને બિઝનેસ ટૂ ગવર્મેન્ટની બેઠકો પણ યોજાશે. બપોરના 2 વાગ્યે પોર્ટ લેડ ડેવલોપમેન્ટ પર સેમિનાર યોજાશે.
જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહેશે. તો ત્યારબાદ બપોરે 2.30 થી 4 વાગ્યા સુધી મેક ઈન ઈન્ડિયાનો કાર્યક્રમ યોજાશે. જ્યારે 2.30 થી 3.30 વાગ્યા સુધી GIFT પર સેમિનાર યોજાશે. વાયબ્રંટ ગુજરાતમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશનના CEO ફીલીપ હૂ ઉદય કોટક અને કોટક મહિન્દ્રા બેંકના CEO પણ ઉપસ્થિત રહેશે.
આપને જણાવી દઇએ કે બપોરે 2.30 થી 4 વાગ્યા સુધી ઓસ્ટ્રેલીયા ડેન્માર્ક જાપાન ઉઝબેકિસ્તાન નેધરલેન્ડના સહિતના દેશોના કંટ્રી સેમિનાર યોજાશે... જેમાં યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ પર પણ સેમિનાર યોજાશે.. જ્યારે 3 થી 5.30 વાગ્યા દરમિયાન ભારતમા ડિફેન્સ અને એરોસ્પેસ સંદર્ભે સેમિનાર યોજાશે.
જેમાં રક્ષામંત્રી નિર્મલા સિતારમન એરફોર્સ અને આર્મિના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તો 3.30 થી 6.30 વાગ્યા સુધી ગ્લોબલ ઈન્વેસ્ટર રાઉન્ડ ટેબલ ઈન્ટરેક્શનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સાજે 5.30 થી 6.30 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી પણ હાજર રહેશે. તો સાંજે 7 વાગ્યે દેશ અને વિદેશથી આવેલા મહેમાનો સાથે ડિનર લેશે.