સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે બીજી તરફ ચૈત્રિ નવરાત્રિની ઉપાસનાના દિવસો પણ છે. ત્યારે લોકોના જાન માલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખીને લોકડાઉનની વચ્ચે નવરાત્રિમાં પૂજારીએ મંદિરમાંથી સોશિયલ મીડિયા પર લાઈવ કરી માતાના દર્શન કરાવી રહ્યા છે. પૂજારીના આ પ્રયાસને વખાણી રહ્યા છે.
ઈતિહાસમાં પહેલીવાર ચૈત્રિ નવરાત્રિમાં ગુજરાતનું અંબાજી અને ઉંઝા મંદિર બંધ
અંબાજી અને ઊંઝા મંદિરે ભક્તોને ઓનલાઈન દર્શન કરવા કહ્યું.
#WATCH यू.पी. संबल: देशभर में जारी लॉक डाउन के बीच श्री माता चामुंडा देवी के मंदिर के कपाट बंद है। श्री माता चामुंडा का आशीर्वाद भक्तों को फोन के जरिए लाइव दिया जा रहा है। लोग वीडियो कॉल करके मां के दर्शन कर रहे हैं। pic.twitter.com/DnxKahxLqX
લોકડાઉનની વચ્ચે યુપીના એક ચામુંડ મંદિરમાં પુજારીએ લાઈવ કરી ભક્તોને માતાના દર્શન કરાવ્યા છે. ઘરે રહેલા ભક્તોએ માતાના દર્શન કરી પૂજારીના વખાણ કર્યા હતા. તો ઘણા લોકો પૂજારીને વીડિયો કોલ કરે છે અને પૂજારી તેમને માતાના દર્શન કરાવી રહ્યા છે.
ઓનલાઈન દર્શન કરવા અનુરોધ કર્યો
ઈતિહાસમાં પ્રથમ વખત ચૈત્રિ નવરાત્રિની ઉપાસનાના દિવસોમાં પણ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ઊંઝા, ચોટીલા મંદિર ભક્તો માટે બંધ રહ્યું છે. ત્યારે અંબાજી પાવાગઢ અને ઊંઝા મંદિરોએ ભક્તોને ઓનલાઈન દર્શન કરવા અનુરોધ કર્યો.
સરકાર લોકડાઉનનો સખત અમલ કરાવી રહી છે
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને પગલે દેશમાં 664 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 12 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં પોલીસ અને સરકાર લોકડાઉનનો સખત અમલ કરાવી રહી છે.