કોરોના વાયરસ આવ્યો ત્યારથી ઘરેલૂ ઉપચારના નામે લોકો કોઇ પણ નુસ્ખાને અપનાવી લેતા હોય છે. રાજસ્થાનમાં એવી પરિસ્થિતિ આવી છે કે 18 રૂપિયાનું મિઠુ હવે 100 રૂપિયામાં મળવા લાગ્યુ છે.
મીઠાનો ભાવ પહોંચ્યો 100 રૂપિયા
કોરોના સાથે ધરાવે છે સીધો સંબંધ
અફવાના કારણે મીઠાની દુકાનોમાં લાગી લાઇન
શું છે કારણ
મીઠુ મોંઘુ થવાનું કારણ તે છે કે કોઇએ એવી અફવા ફેલાવી છે કે મીઠાનું પાણી ઓઆરએસની જેમ પીવાથી કોરોના જડમૂળથી દૂર ભાગી જાય છે. સાથે જ જો કોઇ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યુ હોય અને તેની લાશ પર મીઠુ નાંખીને અંતિમ સંસ્કાર કરવાથી કોરોના ફેલાતો નથી.
કેટલાક ગામ એવા છે કે જ્યાં કોરોનાના કારણે એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે વિદેશોથી લોકો પાછા આવ્યા છે અને ગામમાં ખેતી કરી રહ્યાં છે.
જિલ્લાના ઓછામાં ઓછા 80 ટકા ગામ એપ્રિલના પહેલા અઠવાડીયા સુધી સુરક્ષિત હતા. જે બાદ લોકોના મોત થવા લાગ્યા ત્યારે તેમની લાશ ગામોમાં મોકલવા આવવા લાગી હતી પરંતુ લોકો અંતિમ સંસ્કાર માટે લાશ પર વીંટાળેલી પીપીઇ કીટને ખોલી દેતા હતા અથવા તો પીપીઇ કીટ એટલી નબળી હતી કે લાશ ઉઠાવતાની સાથે જ ફાટી જતી હતી.
તેનું પરિણામ આવ્યું કે, થોડા ગામને છોડતા બધા ગામમાં કોરોના વાયરસનો કહેર વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં માત્ર 70 થી 75 ગામ જ કોરોનાથી બચી શક્યા અને બાકીના બધા ગામમાં કોરોના જાણે વસી જ ગયો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ મહેશ જીંદાલ કહે છે કે બૂંદિ જીલ્લા મુખ્યાલયના મુક્તિધામોમાં લાશોનું વ્યવસ્થિત અંતિમ સંસ્કાર થાય અને વિહીપે જવાબદારી ઉઠાવી લીધી હતી.
મોટાભાગના ગામમાં લોકોને અંતિમ સંસ્કાર માટે પીપીઇ કીટ પણ આપવામાં આવતી નહોતી. જિંદલે જણાવ્યું કે તેમની હાજરીમાં છેલ્લા 20 દિવસમાં હિંડોલીમાં બે, નેનવામાં બે, પાટનમાં બે કોરોના પોઝીટીવ શબ સીધા પરિવારજનોને આપી દેવામાં આવ્યા હતા. તેમનો અંતિમ સંસ્કાર મુખ્યાલય પર જ મુક્તિધામમાં પ્રોટોકોલ હેઠળ કરી શકાતો હતો.