પરિવાર અને સેપરેટ ધાબા પર પરંપરા અને જૂની સ્ટાઈલથી અમદાવાદની ઉતરાયણની મજા માણવી હોય તો પોળ તેનું સાચુ સરનામું છે. એટલે જ ઉતરાયણની મજા માણવા માંગતા ગ્રુપ્સ પોળનાં ધાબા ભાડે લેતા હોય છે. ત્યારે ટેરેસ રેન્ટ પ્રથા આ વર્ષે પણ યથાવત રહી છે. જો કે મોંઘવારીને કારણે તેનાં ભાવમાં વધારાની સાથે થયો છે કેટલોક ફેરફાર. ત્યારે જાણીએ કે આ વખતે રેન્ટમાં શું ફેરફાર છે અને કેમ આ વખતે એનઆરઆઈ અને એનઆરજીની સંખ્યામાં ઘટાડો થયો છે...
હવે ધાબાનાં ભાવ ઉચ્ચક નહી પણ પર્સનનાં આધારે નક્કી થાય છે
રેન્ટ પર ધાબા લેનારાને મળે છે આ સુવિધાઓ
જાણો રેન્ટનાં ભાવમાં કેટલો વધારો થયો છે
ઉચ્ચક રેન્ટમાં ખોરવાતી હતી આ વ્યવસ્થા
અમદાવાદની પોળોમાં ઉતરાયણ કરવાની એકન અનોખી મજા છે. આ મજા માટે લોકો ઉતરાયણ માટે પોળોનાં ધાબા રેન્ટ પર લેતા હોય છે. પહેલા લોકો ઉચ્ચક ધાબા રેન્ટ પર આપી દેતાં હતાં. તેમાં કેટલાંક લોકોનાં જમવા સાથેનું ઉચ્ચક ભાડુ 15થી 20 હજાર ગણી નાંખતા હતાં. જેમાં ઘણીવાર રેન્ટર લીધેલા ધાબા પર 15ની જગ્યાએ 20 લોકો આવી જતાં હોઈ પોળવાસીઓને જમવાનું મેનેજમેન્ટ ખોરવાઈ જતું હતું.
જાણો આ વખતે રેન્ટમાં થયાં કયાં ફેરફાર
આ વર્ષે ધાબા રેન્ટ સિસ્ટમમાં થોડો ફેરફાર એ આવ્યો છે કે હવે પર પર્સન રેન્ટ 1000, 1500થી લઈને 2 હજાર સુધીનું વસુલવામાં આવે છે. એટલે કે પોળનાં ઘાબા આ વર્ષે 25થી 30 હજારમાં ભાડે જઈ રહ્યાં છે. જેમાં સવારે ચા- નાસ્તો, બપોરે ઉધિયુ, જલેબી, લીલીવા કચોરી, પુરીથી માંડીને અનેક ગુજરાતી ફુડ લંચમાં આપનામાં આવે છે. આ બાદ સાંજે 4 વાગ્યાની આસપાસ ચા- નાસ્તો, ચિક્કી, તલસાકરી, જામફળ, બોર અને શેરડી જેવી અનેક વસ્તુઓ આપવામાં આવે છે. તેમજ રાતે ડિનરમાં હળવું જમવાનું જેમ કે પાઉભાજી, ચણા પૂરી આપવામાં આવે છે. આની સાથે સાથે ડિજે અને મ્યુઝિક સિસ્ટમ પણ પોળવાસીઓ પ્રોવાઈડ કરે છે. દરેકની ડિમાન્ટ પ્રમાણે આ રેન્ટ કસ્ટમાઈઝ કરવામાં આવે છે.
કઈ પોળોમાં લોકો ઉતરાયણ કરવાનું પ્રિફર કરે છે ?
રાયખડ, ગાંધી રોડ, પાંચ કુવા, રિલીફ રોડ, બાલા હનુમાન, ખાડિયા, સારંગપુરની પોળોની ડિમાન્ડ સૌથી વધારે છે. જેનું કારણે એટલું છે કે આ એક ભીડ વાળો વિસ્તાર છે અને અહી લોકોમાં આજેય આત્મિયતા જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજે 35થી 40 ઘરનાં ધાબા રેન્ટમાં ગયાં છે. કોઈ દુકાન કે શહેરનાં પોશ વિસ્તારનાં ઘરનું મહિનાનું 25થી 30 હજાર હોય છે જે પોળવાસીઓ 2 દિવસ માટે ધાબુ ભાડે આપીને વસૂલી લેતા હોય છે.
કોની કેટલી ઈન્કવાયરી આવે છે ?
દિવાળી પુરી થતાની સાથે જ લોકોની ઉતરાયણનાં ધાબા માટે ઈન્કવાયરી આવવા માંડે છે. જેમાં દર વર્ષે એનઆરઆઈ અને એનઆરજીની ઈન્કવાયરી વધારે હોય છે પણ આ વર્ષે આ બન્નેની કોઈક કારણોસર ઈન્કવાયરી ઓછી આવી છે. આ વખતે પોળમાં ઉતરાયણ કરવા માંગતા અમદાવાદીઓ 15થી 20 ટકા, ગુજરાતીઓ 30થી 40 ટકા, કોર્પોરેટ ઈન્કવાયરી 10 ટકા , મિત્રોનાં ગ્રુપની 20થી 25 ટકા તથા જ્યારે યંગસ્ટરની ઈન્કવાયરી 2 ટકા જેટલી હતી. દર વર્ષે 40 ટકા એનઆરઆઈ અને 30 ટકા એનઆરજીની ઈન્કવાયરી આવતી હોય છે જે આ વખતે નહી બરાબર છે.
સ્થાનિકો શું કહે છે ?
આ અંગે વાત કરતા સ્થાનિક રાકેશ ભાવસારે જણાવ્યું હતું કે, અમે ધાબુ રેન્ટ પર આપીએ છીએ. તેનો એક હેતું એ પણ છે કે પોળમાં આજેય પરંપરા અને સાથે તહેવાર મનાવવાની પરંપરા જળવાયેલી રહી છે. આજેય એક ઘરે ઉંધિયુ, એક ઘરે પુરી, બીજીનાં ઘરે કચોરી બને છે અને બધા સાથે મળીને જમતા હોય છે. આ પ્રેમ અને પરંપરા લોકો સુધી પહોંચે.