યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન સૈન્ય દ્વારા કરાયેલી વિનાશની સમીક્ષા કરવા બુચા શહેરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કહ્યું કે અહીંની ભયાનકતા જોઈને બોલવું મુશ્કેલ છે
બુચા શહેરની હાલત જોઈને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ભાવુક થઈ ગયા
બુચામાં 400 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે અને રશિયન સેના પર હત્યા કરવાનો આરોપ
મહિલાઓ પર દુષ્કર્મ કરી મોટી સંખ્યામાં મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવી દીધા
#Ukrainian President Volodymyr Zelenskyy visited #Bucha, where evidence of mass murders of civilians was found
બુચા શહેરની હાલત જોઈને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી ભાવુક થઈ ગયા
રશિયન સેનાના ભયાનક હુમલાથી 'કબ્રસ્તાન'માં ફેરવાઈ ગયેલા યુક્રેનના બુચા શહેરની હાલત જોઈને રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે કહ્યું, 'વાત કરવી પણ બહુ મુશ્કેલ છે.' બુચા શહેરમાં 400 થી વધુ મૃતદેહો મળી આવ્યા છે, અને રશિયન સૈન્ય પર નાગરિકોની હત્યા કરવાનો, મહિલાઓ પર બળાત્કાર કરવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોના મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાનો આરોપ છે.ઝેલેન્સકીએ વચન આપ્યું હતું કે તે સુનિશ્ચિત કરશે કે રશિયન સૈનિકો દ્વારા દેશની જમીન પર આ પ્રકારનું યુદ્ધ પૃથ્વી પરનું છેલ્લું છે.
બુચા શહેરમાંથી રશિયન સેના ખસી ગયા બાદ ભયાનક તસવીરો સામે આવી
રાજધાની કિવના ઉત્તર-પશ્ચિમમાં આવેલા બુચા શહેરમાંથી રશિયન સેના ખસી ગયા બાદ ભયાનક તસવીરો સામે આવી છે. જેમાં સામાન્ય નાગરિકોના મૃતદેહો રસ્તા પર દરેક જગ્યાએ વિખરાયેલા જોવા મળે છે. રસ્તાઓ એક પ્રકારના ખુલ્લા કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયા છે. આ મૃતદેહોને જોતા એવું લાગે છે કે રશિયન સૈનિકોએ બુચાના લોકોને મારતા પહેલા ત્રાસ આપ્યો હતો. ઘણાના શરીર પર ગંભીર ઘા છે અને તેમના હાથ પીઠ પાછળ બાંધેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા નાગરિકોને ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી છે.
ચર્ચની અંદર 45 ફૂટ લાંબી સામૂહિક કબર દેખાઈ
રશિયાએ દાવો કર્યો છે કે આવી કોઈ હત્યાકાંડ થઈ નથી, પરંતુ ગયા મહિને બુચાના લીધેલા સેટેલાઇટ ફોટામાં ચર્ચની અંદર 45 ફૂટ લાંબી સામૂહિક કબર જોવા મળી હતી. તે સમયે આ વિસ્તાર રશિયન સેનાના નિયંત્રણમાં હતો. તે જ સમયે, એક મીડિયાના અહેવાલ મુજબ, આ નાગરિકો 3 અઠવાડિયા પહેલા રશિયન નિયંત્રણ દરમિયાન માર્યા ગયા હતા. યુક્રેનિયન અને પશ્ચિમી નેતાઓએ રશિયા પર યુક્રેનમાં નરસંહાર કરવાનો અને તેમના મૃતદેહોને ફેંકી દેવાનો આરોપ લગાવ્યો છે.
ઝેલેન્સકીના સલાહકારે ચેતવણી આપી છે ક, કિવની બહારના યુક્રેનિયન નાગરિકોની હત્યા થઈ શકે છે
દરમિયાન, રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીના સલાહકારે ચેતવણી આપી છે કે કિવની બહારના સેંકડો યુક્રેનિયન નાગરિકોની હત્યા, દુર્વ્યવહાર અને ક્રૂરતાનો આરોપ ધરાવતા રશિયન સૈનિકો રાજધાનીની બહારના ગામો અને નગરોમાં પણ વધુ અત્યાચારો કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કિવની પશ્ચિમે આવેલા બુચા અને ઇરપિન શહેરોમાં ઓછામાં ઓછા 410 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જ્યાં ઉતાવળમાં ખોદવામાં આવેલી સામૂહિક કબર મળી આવી છે.કિવ સ્થિત પત્રકારો, જેમણે રશિયન દળોની પીછેહઠ બાદ પ્રદેશની મુલાકાત લીધી છે, તેમણે કહ્યું કે યુદ્ધ અપરાધોના સ્પષ્ટ પુરાવા છે.
કિવની પૂર્વમાં બ્રોવરીના ઉપનગરમાં બૂચા કરતાં પણ ખરાબ પરિસ્થિતી છે
નાગરિકોને તેમના હાથ પીઠ પાછળ બાંધીને ગોળી મારવામાં આવી છે અને અન્ય શરીર પર ત્રાસ અને બળાત્કારના નિશાન છે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સલાહકાર અને ભૂતપૂર્વ નાણાપ્રધાન તિમોફી માયલોવાનોવ કહે છે કે કિવની પૂર્વમાં આવેલા બ્રોવરીના ઉપનગરમાં અને હાઈવેની બાજુના ગામોમાં આનાથી પણ ખરાબ અત્યાચારો કરવામાં આવ્યા છે.અમે પત્રકારો અને વકીલોને આ વિસ્તારની મુલાકાત લેવા માટે આહ્વાન કર્યું છે કે જે બન્યું તે દસ્તાવેજમાં મદદ કરે. માયલોવનોવે જણાવ્યું હતું કે પ્રારંભિક પ્રત્યક્ષદર્શીઓ અને પુરાવા સૂચવે છે કે બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હોઈ શકે છે, યુવતીઓ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી હત્યા કરવામાં આવી હતી.
આ દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ જણાવ્યું હતું કે કિવ નજીકના યુક્રેનિયન શહેર બુકામાં રશિયન સૈનિકો યુદ્ધ અપરાધોમાં સામેલ હોવાના આક્ષેપો સાચા નથી. આરટી મુજબ, પેસ્કોવએ સૂચવ્યું કે દાવાઓની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ અને વિદેશી નેતાઓ દ્વારા જે કહેવામાં આવ્યું છે તેના પર ન જવું જોઈએ. કિવ દ્વારા કરવામાં આવેલા આરોપો અંગે અધિકારીએ કહ્યું, 'યુક્રેનિયન પક્ષ દ્વારા આપવામાં આવ્યું છે તેમણે દાવો કર્યો હતો કે રશિયન લશ્કરી નિષ્ણાતોને બુચા તરફથી વિડિયો મેનીપ્યુલેશન અને અન્ય પ્રકારના બનાવટના પુરાવા મળ્યા છે.