કર્ણાટકમાં કોંગ્રેસ અને JDS સરકારના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના શપથ ગ્રહણના કાર્યક્રમની ઉજવણી માટે વિપક્ષના નેતાઓ કાર્યક્રમ સ્થળે પહોંચવા લાગ્યા છે. આધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બેંગલુરું પહોંચ્યા છે જ્યારે તેજસ્વી યાદવ માયાવાતી મમતા બેનર્જી પણ બેંગલુરું પહોંચ્યા છે.
કર્ણાટકમાં કોંગ્રેસ અને JDSના ગઠબંધનથી સરકાર બનવા જઈ રહી છે. જેની સાથે ત્યાં એકસાથે વિપક્ષનું શક્તિપ્રદર્શન પણ જોવા મળી શકે છે. બેંગ્લુરૂમાં શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઘણાં પ્રાદેશિક પક્ષોના નેતા ભાગ લેવા માટે પહોંચ્યા છે. મોદી સરકારના કેન્દ્રમાં ચાર વર્ષ સમાપ્ત થવાના પહેલાં જ વિપક્ષી એકતાના પણ પાયા મજબૂત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
2019 પહેલા મોદી સરકાર માટે આ એક મોટી ચેલેન્જની જાહેરાત માની શકાય તો ખોટું નથી. જોકે કેન્દ્રની NDA સરકાર સામે આ વિપક્ષની તાકાત આગામી લોકસભા ચૂંટણી સુધી જોવા મળશે કે કેમ તે પણ એક પ્રશ્ન જ બની રહેશે.
આ ઘટના 1984માં એન ટી રામારાવના શપથ ગ્રહણ સમારોહની જેમ જોવામાં આવી રહી છે. જેમાં જો કે કોંગ્રેસ ન હતી એટલે તેના વિરોધી પક્ષો એક સાથે એકત્ર જોવા મળ્યા હતા. કર્ણાટકમાં ભાજપના નેતા યેદિયુરપ્પા તરફથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવી હતી જે પછી તેમની પાસે બહુમતી સાબિત કરી શકાય તેટલી સંખ્યામાં મત ન હોવાથી તેમને રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું.
ત્યારબાદ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ અને જેડીએસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા અગાઉનો જો ઈતિહાસ જોવામાં આવે તો ભાજપ વિરૂધ્ધ એકત્ર થઈ રહેલ પક્ષો ગણી વખત ચૂંટણીના પરિણામ પછી પણ પોતાનો મત બદલતા રહેતાં હોય છે.