બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા જે ખાસ કરીને વિલનની ભુમીકામાં નજરે આવતા મહેશ આનંદનો તેમના ઘરેથી મૃતદેહ મળી આવ્યો છે. શનિવારે એટલે કે આજે તેમણે યારી રોડ પર આવેલા તેમના ઘરમાં 57 વર્ષની ઉમરે છેલ્લો શ્વાસ લીધો.
Yesteryear Bollywood Actor Mahesh Anand was found dead at his residence in Mumbai earlier today. The reason behind his death is yet to be ascertained; the body has been sent to Cooper Hospital for postmortem.
મહેશ આનંદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં લઇ જવાયો છે. તાજેતરમાં તેમણે ગોવિંદાની ફિલ્મ 'રંગીલા રાજા'થી રિ-એન્ટ્રી કરી હતી.
મળતી માહિતી મુજબ મહેશ આનંદ મુંબઇના વર્સોવામાં એકલા રહેતા હતા. મીડિયા દ્વારા જ્યારે તેમના એક્સ વાઇફને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે તેમને આ વિશે કંઇ ખબર નથી તેમણે વર્ષ 2002થી તેમની જોડે કોઇ સંબંધ રાખ્યો નથી.
તમને જણાવી દઇએ કે મહેશ આનંદે શહેનશાહ મજદુર સ્વર્ગ થાનેદાર વિશ્વાત્મા ગુમરાહ ખુદ્દાર બેતાજ બાદશાહ વિજેતા અને કુરુક્ષેત્ર જેવા હિટ ફિલ્મોમાં પોતાના અલગ અંદાજથી આગવી ઓળખ ઉભી કરી હતી.