દેશના જાણીતા ડોક્ટર અને મેદાંતા હોસ્પિટલના સ્થાપક ડો.નરેશ ત્રેહને ઓમિક્રોનના ગંભીરતા સમજાવતા એક મોટો ખુલાસો કર્યો છે.
દેશના જાણીતા ડોક્ટર નરેશ ત્રેહનનો મોટો ખુલાસો
ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિ 18 થી 20 લોકોને પોઝિટીવ કરી શકે
ભારતમાં ઓમિક્રોન આવી ચૂક્યો છે, કર્ણાટકમાં નોંધાયા બે કેસ
ડો.નરેશ ત્રેહને જણાવ્યું કે કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત એક વ્યક્તિ 18 થી 20 લોકોને પોઝિટીવ કરી શકે છે. ડો.નરેશ ત્રેહનની ચેતવણી ખૂબ ગંભીર છે અને લોકોએ હવે સમજી જવાની જરુર છે. તેમણે કહ્યું કે હજુ સમય છે લોકોએ ખૂબ સાવધાની રાખવી પડશે. અન્યથા પરિણામ ગંભીર આવી શકે છે.
મહારાષ્ટ્ર અને કેરળમાં 10,000થી વધુ સક્રિય કેસ
દેશમાં કોરોનામાં હાલની સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે માહિતી આપી છે કે દેશમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, "હવે માત્ર બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10,000થી વધુ સક્રિય કેસ છે, જે દેશના કુલ ચેપગ્રસ્ત કેસોના 55 ટકા છે."
લવ અગ્રવાલે જણાવ્યું હતું કે કોરોના રસીનો બંને ડોઝ આપવામાં આવ્યો ત્યારથી દેશની લગભગ ૪૯ ટકા વસ્તીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
ઓમિક્રોનના 29 દેશોમાં 373 કેસ નોંધાયા
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરુવારે કહ્યું હતું કે, ઓમિક્રોન ઝડપથી ફેલાય તેવી સંભાવના છે. તે ડેલ્ટા કરતા ૫ ગણો વધારે ચેપી છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના 29 દેશોમાં 373 કેસ નોંધાયા છે. આઇસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા સ્થાપિત ૩૭ લેબમાં ચેપ ગ્રસ્ત વ્યક્તિઓનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે.
ભારતમાં ઓમિક્રોનના બે કેસ, કર્ણાટકમાં બે લોકો સંક્રમિત
ICMRના DG બલરામ ભાર્ગવે જણાવ્યું કે કર્ણાટકમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા સ્થાપિત 37 લેબોરેટરીના સંઘ દ્વારા કરવામાં આવેલા જિનોમ સિકવન્સિગના રિપોર્ટમાં બન્ને કેસ ઓમિક્રોન પોઝિટીવ આવ્યાં છે. તેમણે કહ્યું કે આપણે ડરવાની જરુર નથી પરંતુ એલર્ટ રહેવું પડશે. કોવિડ અનુરુપ વ્યવહાર અત્યંત અનિવાર્ય છે.