જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકી સંગઠનો મોટી ઘટનાને અંજામ આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમા આતંકી સંગઠનો દ્વારા 5 ઓગસ્ટ કે 15 ઓગસ્ટે મંદિરો પર હુમલો કરવામાં આવી શકે છે.
પાકિસ્તાની આતંકી સંગઠન મોટો હુમલો કરે તેવી શક્યતા
મંદિરો પર હુમલો થાય તેવી શક્યતા
5 ઓગસ્ટ કે પછી 15 ઓગસ્ટે હુમલો થવાની શક્યતા
પાકિસ્તાની આતંકી સંગઠનો ભારતમાં મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. જૈશ એ મહોમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા સંગઠનો સાંપ્રદાયિક તણાવ વધે તે માટે મંદિરો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ માહિતી મળ્યા બાદ કશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
મંદિરો પર હુમલો કરે તેવી શક્યતા
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાશ્મીરમાં સેના દ્વારા મંદિરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાશ્મીરમાં રઘુનાથ મંદિર, બાવે લાલી માતા મંદિર જેવા ઘણા પ્રાચીન મંદિરો છે. અગાઉ આતંકીઓ રઘુનાથ મંદિર પર હુમલો કરી ચુક્યા છે.
5 ઓગસ્ટ કે પછી 15 ઓગસ્ટે હુમલો કરે તેવી શક્યતા
એવી માહિતી સામે આવી છે કે આતંકી સંગઠનો દ્વારા 5 ઓગસ્ટ અથવા તો 15 ઓગસ્ટે જમ્મૂ કશ્મીરના મંદિરો પર હુમલો કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે 5 ઓગસ્ટે કશ્મિરમાંથી કલમ 370 હટાવામાં આવી હતી. જેને 2 વર્ષ હવે પૂરા થશે. જેથી એવી શક્યતા સેવાઈ રહી છે કે 5 ઓગસ્ટે આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવી શકે છે.
અગાઉ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે ડ્રોન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો. તે હુમલો પણ પાકિસ્તાની સંગઠનો દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ આંતંકી સંગઠનો એવીજ રીતે ભીડભાડ વાળી જગ્યાઓ પર કે પછી મંદિરોમાં બ્લાસ્ટ કરી શકે છે.
ઘાટીમાં હજુ પણ આતંકીઓ સક્રિય
રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ એવું કહ્યું કે આતંકી સંગઠનો દ્વારા અત્યાર સુધીમાં ત્રણ જેટલા પ્રયાસો કરવામાં આવ્યા છે. જે પ્રયાસો નિષ્ફળ રહ્યા. બીજા એક અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ડ્રોનનો ઉપયોગ આઈઈડી લાવવા માટે કરવામાં આવ્યો હતો. જે આઈઈડી ઘાટીમાં હાજર આતંકીઓ સુધી પહોચાડવામાં આવ્યા છે.