દારુ કૌભાંડમાં ફસાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મની લોન્ડરીંગ કેસમાં પહેલેથી જ જેલમાં બંધ સત્યૈન્દ્ર જૈનેએ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ તેમના ખાતા અન્ય મંત્રીઓને સોંપાયા છે
મનીષ સિસોદીયા અને સત્યૈન્દ્ર જૈનેના ખાતા અન્ય મંત્રીઓને સોંપાયા
મનીષ સિસોદીયાના ખાતા કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદને સોંપાયા: સૂત્ર
કૈલાશ ગેહલોતને નાણા મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે: સૂત્ર
દિલ્હી સરકારના બે મંત્રીઓએ રાજીનામા ધરી દીધા છે. તાજેતરમાં દારુ કૌભાંડમાં ફસાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને મની લોન્ડરીંગ કેસમાં પહેલેથી જ જેલમાં બંધ સત્યૈન્દ્ર જૈને તેમના હોદ્દા પરથી રાજીનામા આપી દીધાં છે.ત્યારે રાષ્ટ્રપતિએ પણ બંન્ને રાજીનામાં સ્વીકારી લીધા છે. ત્યારે આ બંન્ને મંત્રીના ખાતા અન્યને સોપાયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મનીષ સિસોદિયાનો વિભાગ મંત્રી કૈલાશ ગેહલોત અને રાજકુમાર આનંદ આપવામાં આવ્યા છે. તેમજ કૈલાશ ગેહલોત આ વર્ષે દિલ્હી સરકારનું બજેટ રજૂ કરશે. કૈલાશ ગેહલોતને નાણા મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી છે તેવી પાપ્ત વિગતો છે.
સિસોદીયાને બેવડો ફટકો
દિલ્હીની નવી આબકારી નીતિ ગેરરીતિ કેસમાં સિસોદીયા ગઈકાલથી સીબીઆઈની કસ્ટડીમાં છે. સુપ્રીમે પણ તેમને જામીન માટે હાઈકોર્ટ જવાનું કહી દીધું છે. સીબીઆઈ દ્વારા આરોપી બનાવાયેલા ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ તેમના રિમાન્ડને સુપ્રીમમાં પડકાર્યાં હતા જેની પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી ખંડપીઠે સુનાવણી યોજી હતી. ખંડપીઠે સિસોદીયાને કહ્યું કે તમારે જામીન માટે હાઈકોર્ટનો સંપર્ક સાધવો જોઈએ. સિસોદીયા પાસે ઘણા કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે.
17 ઑગસ્ટ 2022થી આ મામલાની થઈ શરૂઆત
17 ઑગસ્ટનાં રોજ CBIએ આબકારી નીતિમાં સિસોદિયા સહિત અન્ય 13 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલા અંગે વી.કે. સક્સેનાએ તાત્કાલિક તપાસનાં આદેશ પણ આપ્યાં હતાં.
CBI અને EDએ તપાસ કરી શરૂ
19 ઓગસ્ટ 2022નાં રોજ સીબીઆઈ એ મનીષ સિસોદિયાનાં ઘરે રેડ પાડી હતી. એટલું જ નહીં AAPનાં અન્ય ત્રણ સદસ્યોનાં ઘરે પણ દરોડા પાડ્યાં હતાં. 22 ઑગસ્ટનાં રોજ EDએ CBI પાસેથી સમગ્ર મામલાની જાણકારી લીધી હતી અને ત્યારબાદ મનીષ સિસોદિયા સામે મની લોન્ડેરિંગનો કેસ પણ દાખલ થયો.
9 કલાક કરવામાં આવી પૂછપરછ
27 સપ્ટેમ્બરનાં રોજ AAPનાં પ્રવક્તા વિજય નાયરની આ મામલામાં ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ 16 ઑક્ટોબરનાં રોજ CBIએ મનીષ સિસોદિયા સાથે આશરે 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. સિસોદિયાએ આ પૂછપરછ બાદ એવો દાવો કર્યો હતો કે તેમને પાર્ટી છોડવા અંગે દબાણ કરવામાં આવ્યું...ત્યારબાદ 10 ઓક્ટોબરનાં રોજ CBIએ દારૂનાં વેપારીઓનું લોબિંગ કરતાં અભિષેક બોઈનપલીની ધરપકડ કરવામાં આવી.
મનીષ સિસોદિયાની ઓફિસ પર રેડ
આ ઘટના બાદ નવેમ્બરનાં અંતમાં CBI 7 લોકો વિરૂદ્ધ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 30 નવેમ્બરનાં રોજ અમિત અરોરા કે જેઓ મનીષ સિસોદિયાનાં નજીકી હતાં, તેમની ધરપકડ કરવામાં આવી હચી. એટલું જ નહીં 14 જાન્યુઆરી 2023નાં રોજ ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાની ઓફિસ પર પણ રેડ પાડવામાં આવી અને તેમનું કમ્પ્યૂટર પણ જપ્ત કરવામાં આવ્યું.
ફેબ્રુઆરી મહિનામાં થઈ પૂછપરછથી લઈને રાજીનામાંની ઘટના
ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો 19 ફેબ્રુઆરી 2023નાં રોજ CBIએ મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યાં પરંતુ દિલ્હીનું બજેટ બનાવવાની જવાબદારી અંગે વાત કરીને તેમણે CBI પાસે અન્ય તારીખે પૂછપરછ કરવાની માગ કરી હતી. 26 ફેબ્રુઆરીનાં રોજ CBIની ઓફિસ મનિષ સિસોદિયા પૂછપરછ માટે પહોંચ્યાં અને 9 કલાકની ઈન્ક્વાયરી બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા આજે 28 ફેબ્રુઆરીનાં રોજ AAPનાં 2 મંત્રીઓ મનિષ સિસોદિયા અને જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પાર્ટીથી રાજીનામું આપ્યું.