મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત લીધી જે મુલાકાત બાદ હવે મધ્યપ્રદેશના રાજકારણમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
મધ્યપ્રદેશના રાજકારણમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા
CM શિવરાજસિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે લીધી મુલાકાત
અગાઉ તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલને પણ મળ્યા હતા
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે સાંજના સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત જે પી નડ્ડાના આવાસ સ્થાને કરવામાં આવી હતી અને આ મુલાકાત બાદ મધ્યપ્રદેશના રાજકારણમાં મોટા ફેરફાર થાય તેવી શક્યત સેવાઈ રહી છે.
અગાઉ થોડાક સમય પહેલાજ ગૃહમંત્રી અમિતશાહે હાલમાંજ શિવરાજસિંહની સામે ભાજપ સાસંદ રાકેશ સિંહના વખાણ કર્યા છે. જેથી હવે શિવરાજસિંહ પર દબાણ વધી ગયું છે. પરિણામે તેઓ પોતાની છબી વધારી રહ્યા છે અને રોજ તેઓ મેરેથોન બેઠકો પણ યોજી રહ્યા છે અને હવે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પણ મળ્યા છે.
વિજળી મંત્રી સાથે પણ મુલાકાત લીધી
જેપી નડ્ડાને મળ્યા તે પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આર કે સિંહને મળ્યા હતા જેઓ વિજળી મંત્રી છે. આ સિવાય તેઓ અટૉરર્ની જનરલ તુષાર મહેતા સાથે તેમના આવાસ સ્થાને પણ મુલાકાત લેવાના છે. જ્યા તેઓ ઓબીસી આરક્ષણને લઈને કાયદાકીય વિવાદો પર તેમની સાથે ચર્ચા કરવાના છે.
રાજ્યપાલ મંગુભાઈ સાથે પણ મુલાકાત લીધી
હાલ મુખ્યમંત્રી શિવરાજસિંહ રાજ્યના અધિકારીઓને સાથે પૂર જોશમાં કામ કરી રહ્યા છે. 18 સપ્ટેમ્બરે અમિતશાહ જબલપુર પહોચ્યા હતા. ત્યારબાદ એક દિવસ પછી શિવરાજસિહે રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે પણ મુલાકાત લીધી હતી. જે મુલાકાતને લઈને મુખ્યમંત્રીએ એવું કહ્યું કે વિકાસ સંબંધી યોજનાઓ પર ચર્ચા થઈ હતી.
પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને મળ્યા
રાજ્યપાલ સાથેની મુલાકત બાદ તેમણે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે પણ મુલાકાત લીધી હતી. જેમા તેમણે કહ્યું કે તેઓ અધિકારીઓને તેમના કામ પ્રમાણે રાખસશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું છે કે અમે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીશું. ઉપરાંત તેમણે કહ્યુ કે જે અધિકારીએ યોગ્ય કામ નથી કરતા તેને સજા આપવામાં આવશે.