રોહિત શર્માની કપ્તાની પર અચાનક એમની જ કેપ્ટનશિપમાં રમવા વાળા એક ક્રિકેટરે જ સવાલ ઉઠાવ્યો છે. મીડિયા સામે નિવેદન આપીને ઉભો કરી દીધો વિવાદ.
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ઉઠાવ્યો રોહિતની કેપ્ટનશિપ પર પ્રશ્ન
વિરાટ કોહલી પછી હાર્દિક પંડયા સારા કેપ્ટન બની શકે છે
રોહિત શર્મા 2023 વર્લ્ડકપમાં કઈ ખાસ નહીં કરી શકે તો..
ટીમ ઇન્ડિયાના એક ખેલાડીએ રોહિત શર્માની કેપ્ટનશિપ પર સવાલો ઉઠાવી દીધા છે.જણાવી દઈએ કે રોહિત શર્માની હજુ ટી20 ફોર્મેટની કેપ્ટનશિપ છીનવાઇ નથી પણ એમને આ ફોર્મેટથી બ્રેક આપવામાં આવ્યો છે. હમણાં જ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ન્યુઝીલેન્ડને ત્રણ મેચોની વનડે સીરીઝમાં 3-0 થી હરાવી હતી. હવે રોહિત શર્મા ઓસ્ટ્રલિયાની સામે 9 ફેબ્રુઆરીથી શરુ થવાની ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરશે. રોહિત શર્માની કપ્તાની પર અચાનક એમની જ કેપ્ટનશિપમાં રમવા વાળા એક ક્રિકેટરે જ સવાલ ઉઠાવ્યો છે. આ ખેલાડીને રોહિત શર્માની કેપ્ટનસી પર આવું નિવેદન આપીને વિવાદ ઉભો કરી દીધો છે.
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ ઉઠાવ્યો રોહિતની કેપ્ટનશિપ પર પ્રશ્ન
ટીમ ઇન્ડીયાના વિકેટકીપર ખેલાડી દિનેશ કાર્તિકએ હજુ સન્યાસનું એલાન કર્યું નથી પણ ટી20 વર્લ્ડકપ 2022 પછી જયારે BCCI ને એમની ટીમ ઇન્ડીયાથી રજા લીધી છે. જો કે એક પછી એક એમના ધમાકેદાર નિવેદનોએ હલચલ મચાવી દીધી છે. દિનેશ કાર્તિકએ મીડિયા સાથે વાત કરતા કહ્યું.'જો રોહિત શર્મા 2023 વર્લ્ડકપમાં કઈ ખાસ નહીં કરી શકે તો બધા ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન વિશે વિચારવામાં આવી શકે છે, જો રોહિત શર્મા 2024 ના ટી20 વર્લ્ડકપ રમવા માંગે છે તો એમને એક મોકો આપવો પડશે.'
આ નિવેદને ઊભો કર્યો વિવાદ
દિનેશ કાર્તિક એ કહ્યું કે, 'હાર્દિક પંડયાએ ભારતીય ટીમની એક સારી કેપ્ટનસી કરી છે. વિરાટ કોહલી પછી હાર્દિક પંડયા એક એવા ખેલાડી છે જેમને તમે મોટી મેચમાં લોકો કેપ્ટન તરીકે જોવા માંગે છે. જો એવી સ્થિતિ બને છે તો પછી જરૂર અલગ અલગ ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન બનાવી શકાશે પણ અત્યારે બીસીસીઆઈ એના પક્ષમાં નથી' જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2022 પછી રોહિત શર્મા,વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ટી20માં નથી જોવા મળ્યા.આ વર્ષે 2023 વનડે વર્લ્ડ કપ ભારતમાં જ થવાનો છે અને એના લીધે ભારતીય ફેન્સને ઉમ્મીદ છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની ટ્રોફી પર કબ્જો કરશે.