ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડે માટે ભારતીય પ્લેઈંગ-11માં રોહિત શર્માએ ઘણા મોટા બદલાવ કર્યા છે.
ટીમ ઈન્ડિયા એ પ્લેઇંગ 11માં ઘણા મોટા બદલાવ કર્યા
રાહુલની જગ્યાએ ઈશાનને મળી તક
આ મેચમાં શાર્દુલ પ્લેઈંગ-11માં પાછો ફર્યો
ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ હૈદરાબાદમાં રમાવવા જઈ રહી છે અને આ સીરિઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કેયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા એ તેની પ્લેઇંગ 11માં ઘણા મોટા બદલાવ કર્યા છે.
ન્યૂઝીલેન્ડ સામેની પહેલી વનડે માટે ભારતીય પ્લેઈંગ-11માં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને સાથે રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે સૂર્યા શ્રીલંકા સામે છેલ્લી વનડે પણ રમી હતી અને એ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો હતો પણ હવે હાર્દિકે પણ ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચમાં વાપસી કરી છે. આ સાથે જ સ્ટાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પણ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11માં પરત ફર્યો છે. શાર્દુલે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ બાંગ્લાદેશ પ્રવાસ પર છેલ્લી વનડે રમી હતી. જે બાદ તેને શ્રીલંકા સામેની શ્રેણીમાં તક મળી ન હતી. પણ આ મેચમાં શાર્દુલ પ્લેઈંગ-11માં પાછો ફર્યો છે.
Captain @ImRo45 wins the toss and elects to bat first in the 1st ODI at Hyderabad.
રાહુલની જગ્યાએ ઈશાનને મળી તક
આ મેચમાં શાર્દુલને સ્થાન આપવા માટે બોલર ઉમરાન મલિકને આરામ આપવામાં આવ્યો છે. આ સાથે જ શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે સીરિઝમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ સાથે જ જણાવી દઈએ કે વિકેટકીપર કેએલ રાહુલે લગ્નના કારણે રજા લઈ લીધી છે, જ્યારે ઈશાન કિશનને તેની જગ્યાએ વિકેટકીપર તરીકે તક આપવામાં આવી છે.
આ સાથે સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે એટલા માટે તેને આ સીરિઝમાંથી રજા લઈ લીધી છે અને તેની જગ્યા એ વોશિંગ્ટન સુંદરને જગ્યા આપવામાં આવી છે.
પ્રથમ ODI માટે બંને ટીમોની પ્લેઈંગ-11
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ