ગયા સ્ટેશનમાં જયારે વ્યક્તિએ ટ્રેન ચાલક પાસે પાણી માગ્યું ત્યારે ખબર પડી કે કોઈ વ્યક્તિ ટ્રેનના એન્જીનમાં બેઠું છે. વ્યક્તિ માનસિક રીતે અસ્થિર હતો.
વારાણસી સારનાથ બુદ્ધ પૂર્ણિમા એક્સપ્રેસની ઘટના
ટ્રેન ના એન્જીનમાં મોટર પાસે બેસી ગઈ વ્યક્તિ
આ માણસ છે માનસિક રોગી, ઓળખ હજુ થઇ નથી
એન્જીનની નીચે જ બેસી મુસાફરી કરી 190 કિમીની
કેટલીક ઘટનાઓ એવી છે જે ખરેખર લોકોને વિચારતા કરી દે છે. આવી જ એક ઘટના બિહારમાં બની છે, જ્યાં એક વ્યક્તિ ટ્રેનના એન્જિન નીચે ઘૂસીને બેસી ગયો અને લગભગ 190 કિલોમીટરની મુસાફરી પૂરી કરી, પરંતુ કોઈને આના વિશે જાણ પણ નહોતી. આ વાત એન્જિન ડ્રાઇવરના ધ્યાનમાં ત્યારે આવી જ્યારે ગયા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી અને એન્જિનની નીચે બેઠેલી વ્યક્તિએ પાણી માંગવા લાગ્યો.
વ્યક્તિ એન્જિનની ટ્રેક્શન મોટર પાસે બેસી ગયો
આ ઘટના ગયા સ્ટેશન પર બની હતી. હકીકતમાં, વારાણસી સારનાથ બુદ્ધ પૂર્ણિમા એક્સપ્રેસ રાજગીર સ્ટેશનથી નીકળી હતી અને 4 વાગ્યે ગયા સ્ટેશન પહોંચી હતી. જ્યારે એન્જિન ચાલક પ્લેટફોર્મ પર ઉતર્યો ત્યારે તેણે કોઈને પાણી માંગતા સંભળાયું. તેણે ટોર્ચ ચાલુ કરીને જોયું તો એન્જિનમાંથી એક માણસનો અવાજ આવી રહ્યો હતો. તે એન્જિનની ટ્રેક્શન મોટર પાસે બેઠો હતો.
ઘણી મહેનતે બહાર કાઢ્યો માણસને
ત્યારબાદ ડ્રાઇવરે તરત જ તેની જાણ સ્ટેશનના અધિકારીઓને કરી હતી. પછી ત્યાં માણસો નો કાફલો એકઠો થઈ ગયો અને તે માણસને એન્જિન મશીન વચ્ચેથી બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યા. ઘણી મહેનત બાદ એ માણસને બહાર કાઢવામાં આવ્યો. જે વ્યક્તિને ટ્રેનના એન્જિનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો તેની ઓળખ થઈ શકી નથી.
આ વ્યક્તિ રાજગીરથી જ એન્જિનમાં ઘૂસી ગયો હતો
એક્સપર્ટ્સનું કહેવું છે કે આ એન્જિન WAP-7 મોડલ ABB એન્જિન છે. આ એન્જિનમાં નીચે જઇને ત્યાં બેસવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, કોઈ વ્યક્તિ માટે એન્જિનની વચ્ચે અત્યાર સુધી મુસાફરી કરવી ખરેખર આશ્ચર્યજનક છે. કારણ કે રાજગીર અને ગયા વચ્ચે આ ટ્રેન 6 સ્ટેશનો પર ઊભી રહે છે. આ સ્ટેશનો પર આ ટ્રેનનું સ્ટોપેજ 2 થી 10 સેકન્ડનું હોય છે. આટલા ઓછા સમયમાં એન્જિનની ટ્રેક્શન મોટર પાસે કોઇ પણ વ્યક્તિ બેસી શકે તેમ નથી. તેથી, એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિ રાજગીરમાં જ ટ્રેક્શન મોટરની નજીક બેઠો હોવો જોઈએ.