રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે અને પેટ્રોલ-ડીઝલમાં દિવસેને દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે. જેને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે.
ગુજરત સરકાર વેટ ઘટાડો કરે તેવી લોકોની માગ
પેટ્રોલ-ડીઝલ એ જીવન જરૂરિયાત થઇ છેઃ જનતા
રાત્રી કર્ફ્યૂમાં પણ રાહત આપવાની લોકોની માગ
શિયાળાની ઠંડીનો પારો દિવસે દિવસે ઘટી રહ્યો છે. તો બીજી તરફો પેટ્રોલની કિંમતનો આંકડો દિવસે-દિવસે વધી રહ્યો છે. જેને લઈ હવે લોકો નારાજગી દર્શાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી રાજકોટના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે લોકો રાજસ્થાન સરકારનું ઉદાહરણ આપી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ વેટમાં રાહત આપે તેવી માગણી છે. અન્ય યોજનામાં સરકાર કરોડો રૂપિયા વાપરે છે. પરંતુ દેશના તમામ નાગરિક સાથે સંકળાયેલા મુદ્દા પર સરકારનું ધ્યાન ન હોઈ તેવું લાગી રહ્યું છે.
રાજકોટની સાથે અમદાવાદમાં પણ લોકો પેટ્રોલ ડીઝલમાં કિંમતને લઈ સરકાર પાસેથી આશા રાખી રહી છે. આ સાથે લોકોએ રાત્રી કર્ફ્યૂમાં પણ રાહત આપવાની માગણી કરી છે. મહત્વનું છે કે, અમદાવાદમાં દિવસે દિવસે કોરોનાના આંકડાઓ ઘટી રહ્યા છે. અને નવી વેક્સિનની પણ અસર દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે 4 મહાનગરમાં હજુ રાત્રી કર્ફ્યું યથાવત્ છે.