દેશની દિગ્ગજ મસાલા કંપની MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું નિધન થઇ ગયુ છે. મસાલા કિંગના નામથી ફેમસ ધર્મપાલ 98 વર્ષના હતા. તેમણે એમડીએચ મસાલા દ્વારા ભારત સહિત દુનિયાભરમાં એક અલગ ઓળખાણ બનાવી લીધી હતી.
ધર્મપાલ ગુલાટીની સંઘર્ષની કહાની
વિભાજન બાદ ભારત આવ્યા હતા
5મા ધોરણ સુધી ભણ્યા હતા મસાલા િકંગ
ધર્મપાલ ગુલાટી ભારત પાકિસ્તાનના વિભાજન બાદ ભારત આવી ગયા હતા અને ભારતમાં આવીને તે સૌથી મોટા બિઝનેસમેન બની ગયા હતા. આજે MDH મસાલાનો સ્વાદ ભારતના દરેક ઘરમાં આવે છે. આ સફળતા એક દિવસ કે વર્ષમાં નથી મળી ધર્મપાલે ખુબ સંઘર્ષ કર્યો છે.
5મા ધોરણ સુધી ભણતર
પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા ગુલાટીએ માત્ર 5મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમના પિતાએ સિયાલકોટમાં મહાશિયા દી હટ્ટીના નામથી મસાલાની એક દુકાન ખોલી હતી. દુકાનમાં કામ કરવા માટે ધર્મપાલે ભણતર છોડવુ પડ્યુ હતુ.
ડરના કારણે છોડ્યુ પાકિસ્તાન
1947ના વિભાજન બાદ ધર્મપાલે હિંસા જોઇ જે જોઇને તે ડરી ગયા હતા. ધર્મપાલ જ્યારે ભારત આવ્યા ત્યારે તેમની પાસે માત્ર 1500 રૂપિયા હતા અને તે અમૃતસરના રેફ્યુજી કેમ્પમાં શરણે આવ્યા. દિલ્હી શિફ્ટ થયા બાદ પરિવારનો ખર્ચો ઉઠાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને ઘોડાગાડી ચલાવવાનું કામ કર્યું.
કરોલબાગમાં પહેલી દુકાન
પોતાની કમાણીમાંથી થોડા પૈસા જમા કર્યા અને દિલ્હીના કરોલબાગમાં અજમલ ખાઁ રોડ પર પહેલી દુકાન ખોલી. ત્યારથી જ મસાલાના કારોબારની ઇંટ મુકાઇ. આજે માત્ર ભારતમાં જ નહી વિદેશોમાં પણ તેમના મસાલાની માગ છે.