દીકરીના લગ્ન મેરેજ બ્યુરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા ઓર્થોપેડિક હોસ્પિટલના ડૉ.હિતેશ પટેલ સાથે ઓગસ્ટમાં થયાં હતા
ઓર્થોપેડિક સર્જનની પત્નીએ ઝેરી દવા પી આપઘાત
શરીરના એક અંગમા મહિલાએ સુઈસાઈડ નોટ લખી
પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત
લગ્નની લાલચ આપીને ઘરમાં રાખ્યા બાદ શારીરિક સંબંધ બનાવ્યા હતા. હિતેન્દ્રએ તેની ઇચ્છા પૂરી કરવા મારી સાથે લગ્નનું નાટક કર્યું હતું. ઈચ્છા પૂરી થતાં મને કાઢી મૂકી, મારા મરવાનું કારણ હિતેન્દ્ર છે. આ શબ્દો ઓથોપેડીક સર્જન હિતેન્દ્ર પટેલની પત્ની છે. જેણે પોતાના શરીરના ડાબા પગના સાથળ પર પેનથી સ્યુસાઈડ નોટ લખી હતી. 9 ફેબ્રુઆરીના રોજ ઘાટલોડિયામાં રહેતા ઓર્થોપેડિક સર્જન હિતેન્દ્ર પટેલની પત્નીએ ઘરના આગણામાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આપઘાત પહેલાં લખેલી સ્યુસાઈડ નોટમાં મોતનો જવાબદાર હિતેન્દ્ર લખ્યું હતું. કારણ કે, છ મહિનાના લગ્ન જીવનમા પતિ હિતેન્દ્રએ 3 મહિના બાદ તેના પીયર મોકલી દીધી હતી. જેથી પતિએ શારીરિક સંબંધ બાંધવા તેની સાથે લગ્નનું નાટક કર્યું હોવાનું સુઈસાઈડ નોટમાં મૃતકે લખ્યું હતું. ઘાટલોડિયા પોલીસે સુઈસાઈડ નોટના આધારે ડૉકટર હિતેન્દ્ર પટેલ અને તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઓઢવના રહીશ અને મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની દીકરીના લગ્ન મેરેજ બ્યુરોમાં નોંધણીના આધારે ઘાટલોડિયામાં રહેતા અને દેવમ ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા હિતેન્દ્ર ઉર્ફે હિતેશ પટેલ સાથે ઓગસ્ટમાં થયાં હતા. લગ્ન બાદ સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ મહિલાને પરેશાન કરીને દહેજની માગણી કરતા હતા. મેં દિકરીને દહેજમાં 25 તોલા સોનું આપ્યું છે, તું માત્ર 5 તોલા જ લાવી છું. સાસુ-સસરાના ત્રાસને લઈને હર્ષા પતિ હિતેન્દ્રને ફરિયાદ કરે તો, તે માતા-પિતાનો પક્ષ લઈ પત્નીને મારઝૂડ કરતો હતો. જેથી કંટાળીને મહિલાએ આપઘાત કરી લીધો હતો.
પોલીસ તપાસમા ખુલ્યુ છે કે 4 ફેબ્રુઆરીએ તેની હોસ્પિટલ ગઈ હતી અને હિતેન્દ્રે તેની વાત સાંભળીને મારઝૂડ કરીને તેને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી. તે દિવસથી મહિલા માનસિક તણાવમાં હતી. અને કોઈની સાથે વાતચીત કરતી નહોતી. એટલુ જ નહીં થોડા દિવસ પહેલાં મહિલાએ હિતેન્દ્રનો બર્થડે ઊજવ્યો હતો. જેને લઈને સાસુ સસરા નારાજ પણ થયા હતા. હાલમાં ઘાટલોડિયા પોલીસે ડોકટર હિતેન્દ્ર પટેલ, સાસુ સુભદ્રાબેન અને સસરા મનુભાઈ પટેલ વિરુદ્ધ દુષ્પ્રેરણને લઈને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.