ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન બનાવવાની કવાયતને ઝટકો લાગ્યો છે. 2019માં ભાજપને લોકસભામાં ટક્કર આપવા કોંગ્રેસ મહાગઠબંધનની તૈયારી કરતા હતા. પરંતુ હવે ઉત્તરપ્રદેશમાં સપા અને કોંગ્રેસનના ગઠબંધનમાં ગૂંચ પડી હોય તેમ લાગી રહ્યું છે. સપા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર અમેઠી અને રાયબરેલીની બેઠક આપવા માગે છે.
આ વાતને લઈને કોંગ્રેસ અને સપા વચ્ચે વિવાદ સર્જાયો છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ દિલ્હીમાં છે અને આ મુદ્દા પર તેઓ વિપક્ષો સાથે ચર્ચા કરવાના છે અને તેઓ રાયબરેલી અને અમેઠીમાં ગાંધી પરિવારના સભ્યો સામે કોઈ સપાનો ઉમેદવાર નહીં ઉતારે.
સપાના સૂત્રો મુજબ રાજ્યમાં ગઠબંધન માટે સપાએ બસપા અને RLD સાથે ચર્ચા કરી છે. તેમને વધુમાં કહ્યું કે 2017ની ચૂંટણીમાંથી શીખ લઈને તેઓ કોઈ રિસ્ક લેવા માગતા નથી. અને માયાવતીના નેતૃત્વવાળી બસપા જોડાણ માટે તૈયાર છે કારણ કે આ જોડાણથી કૉંગ્રેસ કરતાં વધુ સપાને ફાયદો થવાની ધારણા છે.