ભારતમાં એક ટ્રેન એવી પણ છે જેમાં લોકો ગયા 73 વર્ષોથી ફ્રીમાં યાત્રા કરે છે. આ ટ્રેન ભાખડા નાગલ બંધ સુધી ચાલે છે. જાણો વિગતવાર
ભાખડા નાગલ બંધ સુધી ચાલતી ટ્રેનમાં ફ્રીમાં કરી શકાય છે યાત્રા
ગયા 73 વર્ષોથી ફ્રીમાં યાત્રા કરી રહ્યા છે લોકો
1949માં પહેલી ચલાવવામાં આવી હતી આ ટ્રેન
ભારતીય રેલવે એશિયાનું બીજું અને દુનિયાનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશમાં કુલ 12,167 પસેન્જર ટ્રેન છે. આ ઉપરાંત, ભારતમાં 7,349 માલગાડી પણ છે. ભારતીય રેલમાં રોજ ઓસ્ટ્રેલીયાની આખી આબાદી જેટલા એટલે કે લગભગ 2 કરોડ 30 લાખથી પણ વધારે યાત્રીઓ સફર કરે છે. જો તમે ક્યારેય ટ્રેનમાં સફર કરી છે, તો તમને જાણ હશે કે અલગ અલગ કેટેગરીનાં હિસાબે ટ્રેનનું ટિકિટ ભાડું હોય છે. ઘણી ટ્રેન તો એવી છે કે જેમાં સફર માટે ઘણું ભાડું ભરવું પડે છે. પરંતુ શું તમને ખબર છે કે એક ટ્રેન એવી પણ છે, જેમાં તમે ફ્રીમાં સફર કરી શકો છો. આવો જણાવીએ આ ખાસ ટ્રેન વિષે.
ભાખડા નાગલ બાંધ સુધી ચાલે છે આ ટ્રેન
આ ટ્રેન હિમાંચલ પ્રદેશ અને પંજાબની બોર્ડર પર ચાલે છે. જો તમે ભાખડા નાગલ બાંધ જોવા જાઓ છો, તો તમે ફ્રીમાં આ ટ્રેનમાં યાત્રાનો આનંદ ઉઠાવી શકો છો. આ ટ્રેન નાગલથી ભાખડા બાંધ સુધી ચાલે છે. આ ટ્રેનથી 25 ગામના લોકો ગયા લગભગ ૭૩ વર્ષોથી ફ્રીમાં સફર કરી રહ્યા છે. તમે વિચારી રહ્યા હશો કે જ્યાં એક તરફ દેશમાં બધી ટ્રેનના ટિકિટનાં ભાવ વધી રહ્યા છે, તો બીજી બાજુ લોકો આ ટ્રેનમાં ફ્રી સફર કેમ કરે છે અને રેલવે આ અનુમતિ શા માટે આપે છે?
ભાખરા ડેમની જાણકારી માટે ચલાવવામાં આવે છે ટ્રેન
આ ટ્રેનને ભાખરા ડેમની જાણકારી દેવાના હેતુથી ચલાવવામાં આવે છે, જેથી દેશની આવનારી પેઢી એ જાણી શકે કે દેશનો સૌથી મોટો ભાખરા ડેમ ક્યા પ્રકારે બન્યો હતો. તેમને જાણ થાય કે ડેમ બનાવવામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ રેલવે ટ્રેકને બનાવવા માટે પહાડોને કાપીને દુર્ગમ રસ્તો બનાવવામાં આવ્યો હતો.
ગયા 73 વર્ષોથી ફ્રીમાં યાત્રા કરી રહ્યા છે લોકો
આ ટ્રેન ગયા 73 વર્ષોથી ચાલી રહી છે. પહેલી વાર આ ટ્રેનને 1949માં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનનાં માધ્યમથી 25 ગામના 300 લોકો રોજ સફર કરે છે. આ ટ્રેનનો સૌથી મોટો ફાયદો વિદ્યાર્થીઓને થાય છે. ટ્રેન નાંગલથી ડેમ સુધી ચાલે છે અને દિવસમાં બે વાર સફર કરે છે. આ ટ્રેનની ખાસ વાત એ છે કે આ ટ્રેનના બધા કોચ લાકડાથી બનેલા છે. આમાં ન તો કોઈ હોકર કે ન તો કોઈ ટીટીઈ મળશે.
ડીઝલ એન્જિનથી ચાલે છે ટ્રેન
આ ટ્રેન ડીઝલ એન્જિન પર ચાલે છે. એક દિવસમાં 50 લિટર ડીઝલનો વપરાશ થાય છે. આ ટ્રેનનું એન્જીન સ્ટાર્ટ થયા બાદ ભાખરાથી પરત આવ્યા બાદ જ તે બંધ થઈ જાય છે. આ ટ્રેન દ્વારા ભાખડાની આસપાસના ગામો સહિત બરમાલા, ઓલિંડા, નેહલા ભાકરા, હંડોલા, સ્વામીપુર, ખેડા બાગ, કાલાકુંડ, નાંગલ, સલંગડી અને અન્ય વિસ્તારોના લોકો મુસાફરી કરે છે.
દિવસમાં બે વાર લગાવે છે ચક્કર
આ ટ્રેન નાંગલથી સવારે 7:05 વાગ્યે ઉપડે છે અને લગભગ 8:20 વાગ્યે આ ટ્રેન ભાખડાથી નાંગલ તરફ પાછી આવે છે. તે જ સમયે, ફરી એકવાર બપોરે 3:05 વાગ્યે તે નાંગલથી ઉપડે છે અને સાંજે 4:20 વાગ્યે તે ભાકરા ડેમથી નાંગલ પરત આવે છે. નાંગલથી ભાખરા ડેમ પહોંચવામાં ટ્રેન લગભગ 40 મિનિટ લે છે. જ્યારે ટ્રેન શરૂ થઈ ત્યારે તેમાં 10 કોચ ચાલતા હતા, પરંતુ હવે તેમાં માત્ર 3 કોચ છે. આ ટ્રેનમાં એક કોચ પ્રવાસીઓ માટે અને એક મહિલા માટે આરક્ષિત છે.