આજકાલ એક રૂપિયાની નોટ દેખવા મળતી નથી. પરંતું દેશનાં ચલણમાં બીજી બધી નોટોથી આ નોટ ખૂબ જ અલગ છે. આવો જાણીએ આ નોટમાં અને બીજી અન્ય નોટોમાં શું છે તફાવત..
ભારતીય ચલણનો ઈતિહાસ ખૂબ જ જૂનો તેમજ રસપ્રદ છે
1 રૂપિયાની નોટ અન્ય નોટો કરતા અલગ જોવા મળે છે
આજકાલ એક રૂપિયાની નોટ જોવા મળતી નથી
ભારતીય ચલણનો ઈતિહાસ ખૂબ જ જૂનો તેમજ રસપ્રદ છે. વર્તમાનમાં આપણા દેશમાં ભારતીય ચલણનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જ બહાર પાડે છે. ભારતીય મુદ્રાની નોટો પર ભારતીય રિઝર્વ બેંકે લખ્યું છે અને એ નોટને ચલણમાં બહાર પાડનાર ગર્વનરની પણ સહી કરેલી હોય છે. ત્યારે શું કારણ છે કે આ નોટ અન્ય નોટો કરતા અલગ જોવા મળે છે તો આવો જાણીએ આ નોટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારી. વાંચો આ પૂરા સમાચાર......
આજકાલ એક રૂપિયાના નોટ દેખવા મળતી નથી. પરંતું દેશનાં ચલણમાં બાકીની નોટો કરતા એક રૂપિયાની નોટ ખૂબ જ અલગ છે. જો તમે એક રૂપિયાની નોટ ધ્યાનથી જોશો તો તેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનરની સહી હોતી નથી અને તે નોટ પર ભારતીય રિઝર્વ બેંક પણ લખેલું હોતું નથી. એવું કેમ હોય છે? આ તમામ સવાલનાં જવાબ માટે આવો આ નોટનો ઈતિહાસ જાણીએ.
એક રૂપિયાની નોટનો ઈતિહાસ
ભારતમાં 1 રૂપિયાની નોટની શરૂઆત 30 નવેમ્બર 1917 થી થઈ હતી. તે દિવસોમાં બ્રિટિશ શાસન દરમિયાન આ નોટ પર ભારતના સમ્રાટ જ્યોર્જ પંચમનો ફોટો છપાયેલો હતો. વર્ષ 1926 માં 1 રૂપિયાની નોટનું છાપકામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 14 વર્ષ બાદ 1940માં ફરી એકવાર 1 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, આઝાદી પછી વર્ષ 1994માં ફરી એકવાર તેનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક ખાસ માંગને કારણે વર્ષ 2015માં એક રૂપિયાની નોટમાં કેટલાક ફેરફારો સાથે ફરી શરૂ કરવામાં આવી.
આ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારી
1 રૂપિયાની નોટનુ છાપકામ પહેલી વખત વર્ષ 1917 માં થયું હતું. ત્યારે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ ન હતી. દેશમાં ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935 માં કરવામાં આવી હતી. જેથી તે સ્પષ્ટ છે કે 1 રૂપિયાની નોટને ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નથી. ત્યારે આ નોટને ભારતમાં શાસન કરતી અંગ્રેજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ જ કારણ છે કે 1 રૂપિયાની નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જગ્યાએ ભારત સરકાર લખેલું હોય છે અને આ નોટ પર ભારતના નાણાં સચિવની સહી હોય છે.