ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક બાદ વિધાનસભમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને જગદીશ ઠાકોરના નામની સતાવાર જાહેરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ કરી હતી.
કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માની સતાવાર જાહેરાત
ઠાકોર પ્રદેશ પ્રમુખ, તો વિપક્ષના નેતા રાઠવા
ધારાસભ્ય દળની બેઠક બાદ કરાઈ નામની ઘોષણા
કારતકી અમાવાસ્યાના પૂર્વ દિવસે ગુજરાત કોંગ્રેસના નવ નિર્વાચિત પ્રમુખ જગદીશ ઠાકોરની ભવ્ય રીતે તાજપોશી કાર્યક્રમ પૂર્વે ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક બાદ વિધાનસભમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને જગદીશ ઠાકોરના નામની સતાવાર જાહેરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ કરી હતી. ગાંધીનગરની બેઠક પૂર્વે,દિલ્હીથી મારતે વિમાને આવી પહોચેલા પ્રભારી ડો.રઘુ શર્મા, પદનામિત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા અમદાવાદ એયર પોર્ટ પર આવી પહોચતા,ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું.
ગાંધીનગર ખાતે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સિનિયર નેતાઓ સહિત પ્રભારી રધુ શર્માની હાજરીમાં આ બંને નામોની પ્રસ્તાવ ધારાસભ્યો સમક્ષ રાખવામાં આવ્યો હતો. જેમાં બંને દેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા તરીકે, સુખરામ રાઠવા પર સહમતી સધાઈ ગઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જૂથવાદ ચરમસીમાએ છે.. પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતાની પસંદગીમાં ઘણો સમય બરબાદ કર્યા બાદ આવી તમામ પ્રકારની અટકળો વચ્ચે કોંગ્રેસે 2022 પહેલા જ માસ્ટર સ્ટ્રોક ખેલી નાખ્યો છે. જે માસ્ટક સ્ટ્રોક ઓબીસી અને આદિવાસી ચહેરાના રૂપમાં છે.. કારણ કે, અંતે તમામ પ્રકારની અટકળો વચ્ચે કોંગ્રેસે ખામથિયરીના અંદાજથી પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા તરીકે, સુખરામ રાઠવાની સત્તાવાર રીતે પસંદગી કરી નાખી છે.
કોણ છે જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા
નોંધનીય છે કે જગદીશ ઠાકોર પાટણથી કોંગ્રેસ સાંસદ રહી ચૂક્યા છે અને ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજના નેતા માનવામાં આવે છે. જગદીશ ઠાકોરને કમાન સોંપીને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જાતીય સમીકરણ ગોઠવવા માટે પ્રયાસ કરી રહી હોય તેવું રહ્યું છે. સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે.
ચૂંટણી ન લડવાની શરતે જ સોંપાઈ જવાબદારી
જો કે, જગદીશ ઠાકોર આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે અને આ ચૂંટણી ન લડવાની શરતે જ આ જવાબદારી સોંપવામાં આવી છે.જગદીશ ઠાકોર સંગઠન પર ધ્યાન કેન્દ્રીત કરશે. પ્રદેશ પ્રમુખ સંગઠનનું જ કામ કરશે. રાહુલ ગાંધી સાથે આ મામલે ચર્ચા થઈ હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યા નવા પ્રમુખ સામે કેવા પડકારો છે, તે જાણવા જરૂરી છે.