ગરીબોને સહાય કરવાના નામે સરકારી કર્મચારીઓમાં ભષ્ટ્રાચાર વધી રહ્યો છે. દિવસેને દિવસે અધિકારીઓ લાંચ લેતા ઝડપાઇ રહ્યા છે. તાજેતરમાં જ બનાસકાંઠામાં વધુ એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે.
ACBએ સમાજ કલ્યાણ નિરીક્ષક દાનભાઈ ચૌધરીને ઝડપી પાડ્યો છે. ACBએ આ શખ્સને રૂપિયા 2 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યો છે. આંબેડકર આવાસ યોજનામાં મકાન સહાય માટે લાંચ માંગી હતી.
સ્થાનિકોમાં આ પ્રકારની લાંચ પડાવતા કર્મચારી પ્રત્યે રોષ વ્યાપ્યો છે. તેમણે આ પ્રકારની કાર્યવાહી સ્તવરે કરી દંડ કરવામાં આવે જેથી અન્ય ક્મચારી ભષ્ટ્રાચાર કરે નહીં.
મહત્વનું છે કે, સમગ્ર દેશમાં અમુક અધિકારીઓ પોતાના હોદાનો ખરાબ ઉપયોગ કરીને પ્રજાને લૂટી રહ્યા છે. શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારમાં તો ખાસ ભોળી પ્રજાને ભોળવીને હોદેદારો સરકારી કામના નામે પૈસા પડાવી રહ્યા છે. તો તાજેતરમાં વધુ એક એવા જ લુટણીયા અધિકારીને ACBએ 2 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપ્યો છે.