બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસનો આંકડો 100ને પાર, અત્યાર સુધીમાં 38 દર્દીઓના મોત
Last Updated: 11:17 PM, 23 July 2024
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 101 કેસ નોંધાયા છે. જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા છે. 101 શંકાસ્પદ કેસો માંથી 22 કેસ પોઝિટીવ આવ્યા છે.
ADVERTISEMENT
સર્વેલન્સવની કામગીરી હાથ ધરાઈ
ADVERTISEMENT
કેસમાં નોધપાત્ર વધારો થતાં રાજ્યભરમાં 24,882 ઘરોમાં સર્વેલન્સવની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં 4,16,715 ઘરોમાં દવા- પાવડરનો છંટકાવ કરાયો છે જ્યારે 62,270 ઘરોમાં સ્પ્રેઈંગ કરવાની કામગીરી કરવામાં આવી છે.
શું છે આ ચાંદીપુરા વાયરસ ?
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
આ પણ વાંચો: ખંભાળિયામાં મકાન ધરાશાયી થતા એક મહિલા સહિત બેના મોત, 6 લોકોનો ચમત્કારિક બચાવ
આ વાયરસથી બચવા શું કરવું
ગુજરાતમાં 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે 14 લોકોનો જીવ લીધો હતો. આ વાયરસના કારણે તાવ આવે છે. આ વાયરસ ગામડામાં લીંપણમાં રહેતી માખીને કારણે ફેલાય છે. જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીંપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.