અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે એક અહેવાલ પ્રમાણે સુરમાં આત્મહત્યા કરનારાઓના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેમાં રોજિંદા સરેરાશ 6 લોકો આત્મહત્યા કરતા હોવાનું સામે આવ્યું છે.
રોજિંદા સરેરાશ 6 જેટલા લોકો કરે છે આપઘાત
એક વર્ષમાં શહેરમાં 2151 લોકોએ કર્યો આપઘાત
આત્મહત્યા કરનાર લોકો 15થી 55 વર્ષની વયના
અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે એક અહેવાલ પ્રમાણે સુરમાં આત્મહત્યા કરનારાઓના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેમાં રોજિંદા સરેરાશ 6 લોકો આત્મહત્યા કરતા હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરમાં વધી રહ્યું છે આપઘાતનું પ્રમાણ
આપઘાતના આ આંકડા સુરત શહેરમાં લોકોની માનસિક તણાવમાં વધારો નોંધાયો છે તેવું પણ જણાવી રહ્યા છે. ઈઝ ઓફ લિવિંગમાં સુરત પાછળ ધકેલાયું હોય તેવું લાગી રહ્યું છે, જો વાત કરવામાં આવે તો એક વર્ષના સમયગાળામાં સુરત શહેરમાં 2151 લોકોએ આપઘાત કરી લીધો છે જ્યારે જૂન મહિનામાં 12 લોકોએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.
જૂનમાં 12 લોકોએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા
એક સર્વ પ્રમાણે શહેરમાં 70 ટકાથી વધુ લોકો ડિપ્રેશનથી પીડાય છે માનસિક તણાવને કારણે લોકો જીંદગીથી હારીને આ પગલું ભરી રહ્યા હોવાનું તારણ સામે આવ્યું છે આત્મહત્યા કરનાર 15 થી 55 વયના લોકોનું પ્રમાણ વધુ જોવા મળે છે.
સર્વે પ્રમાણે 70 ટકાથી વધુ લોકો ડિપ્રેશનની બિમારીથી પીડાય છે
એક અહેવાલ મુજબ 2020ના આપઘાતના આંકડા અનુસાર જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બેરોજગારીની સમસ્યાના કારણે 219 યુવાનોએ આત્મહત્યા કરવા મજબૂર બન્યા. ગુજરાતના મુખ્ય ચાર શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક જ વર્ષમાં 2192 નાગરિકોએ આત્મહત્યા કરવા મજબુર બન્યા. ખેતી, ખેડુત અને ગામડાની હાલત અતિ વિકટ છે. ગુજરાતમાં 4.5 લાખ શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયેલ છે અને 30 લાખ કરતા વધુ શિક્ષિત બેરોજગાર નોંધાયા વિનાના છે.