ભયજનક અને બેદરકારી સાથે ડ્રાઈવિંગ, ઓવરટેકિંગ વગેરેનાં 2018માં 2,620 કેસ નોંધાયા છે. જેમાંથી 1195 લોકોનાં મોત નિપજ્યાં છે. વર્ષ 2017માં આ પ્રકારનાં કેસોની સંખ્યા 2,469 હતી. જેમાં 1082 લોકોનાં મોત થયા હતાં. આ પ્રકારની એક્સિડેન્ટલ ડેથની સંખ્યામાં એક વર્ષમાં 10.4 ટકા વધારો થયો છે.
ડ્રાઈવિંગ અન્ડર ધ ઈન્ફ્લુઅન્સનાં કારણે ગુજરાતમાં થનારા મૃત્યુંની સંખ્યામાં 12 ટકા વધારો થયો છે
NCRBનાં રિપોર્ટ મુજબ દારુ પીને ડ્રાઈવિંગ કરનારા લોકોની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે
ભયજનક ડ્રાઈવિંગના કારણે અમદાવાદ અને સુરતમાં મોંતની સંખ્યામાં વધારો
ગુજરાત ભલે ડ્રાય સ્ટેટ કહેવાતું હોય પરંતુ કેન્દ્ર સરકારનાં આંકડા પ્રમાણે જોઈએ તો વર્ષમાં ડ્રાઈવિંગ અંડર ધ ઈન્ફ્લુઅન્સનાં કારણે ગુજરાતમાં એક્સિડેન્ટમાં થનારી મોતની સંખ્યાંમાં 12 ગણો વધારો થયો છે. આંકડા પ્રમાણે 2017માં અહી આ પ્રકારનાં 10 મોંત નોંધાયા છે. ત્યારે વર્ષ 2018માં આ સંખ્યા 122 સુધી પહોંચી ગઈ હતી.
આ ચાર શહેરોમાં જાણો અકસ્માતની શું છે સ્થિતિ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી) નાં રિપોર્ટ એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સુસાઈડ્સ ઈન ઈન્ડિયા 2018માં એમ પણ કહેવામાં આવ્યું છે કે દારુ પીને ડ્રાઈવિંગ કરવા બાબતે દાખલ થયેલાં કેસની સંખ્યામાં લગભગ 5 ગણો વધારો થયો છે. આ સંખ્યાં 2017માં 51 હતી. જે 2018માં 300 સુધી પહોંચી ગઈ હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2018માં દારુ પીને વાહન હંકારી ઘાયલ થયેલા લોકોની સંખ્યાં છેલ્લા વર્ષની સરખામણીમાં ચાર ગણી વધારે થઈ ગઈ છે. આ સંખ્યા 2017માં 67થી વધીને 2018માં 296 સુધી પહોંચી ગઈ છે. ભારતમાં 11થી 17 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી વીક ચાલી રહ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનાં કેસો વધારે પ્રમાણમાં ચાર મુખ્ય શહેરમાં નોંધાયા છે. 2018માં ડ્રિંક એન્ડ ડ્રાઈવનાં કેસમાં અમદાવાદમાં 2 અને સુરતમાં 1નું મોંત નિપજ્યું હતું.
એક્સિડેન્ટમાં મોંતની સંખ્યામાં વધારો
રિપોર્ટમાં જણાવ્યાં મુજબ ભયજનક અને બેદરકારીની સાથે ડ્રાઈવિંગ, ઓવરટેકિંગ વગેરેનાં વર્ષ 2018માં 2,620 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જેમાંથી 1195 લોકોનાં મોત નિપજ્યાં હતાં. 2017માં આ પ્રકારનાં કેસોની સંખ્યા 2,469 હતી. જેમાં 1082 લોકોનાં મોત નિપજ્યાં હતાં. આવી એક્સિડેન્ટલ મોતમાં એક વર્ષમાં 10.4 ટકા વધારો થયો છે. શહેરોની વાત કરીએ તો ભયજનક ડ્રાઈવિંગનાં કારણે 2018માં અમદાવાદમાં 78, સુરતમાં 44 અને વડોદરામાં 2 લોકોનાં મોત થયા છે.
વડોદરામાં ઓછા થયાં એક્સિડન્ટ
રિપોર્ટમાં જણાવ્યાં મુજબ કુલ મળીને રોડ એક્સિડેન્ટનાં આંકડામાં 2017ની સરખામણીમાં 2018માં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. 2017માં જ્યાં 18,631 રોડ એક્સિડન્ટ થયા છે ત્યાંરે 2018માં 1.2 ટકા ઘટાડા સાથે સંખ્યાં 18,414 સુધી પહોચી ગઈ છે. જોકે એક્સિડન્ટમાં મરનારાની સંખ્યામાં 5 ટકા વધારો થયો છે. રોડ એક્સિડન્ટમાં 2017માં જ્યાં 7,663 લોકોનાં મોત નીપજ્યાં છે ત્યારે 2018માં આ સંખ્યા 8040 થઈ હતી. આંકડામાં જણાવ્યાં મુજબ આશરે 22 લોકો દરે દિવસે ગુજરાતમાં રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. અમદાવાદ અને સુરતમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાયો છે જ્યારે કે વડોદરા અને રાજકોટમાં આ સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.