અમેરિકાના કોરોના સંક્રમિતોના નંબર જે રીતે વધી રહ્યા છે. તેના કારણે ન ફક્ત અમેરિકા પણ તેના દેશો અને વિશેષજ્ઞોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં એક દિવસમાં 1350 લોકોના મોત થયા છે તો 23,034 કેસ નવા નોંધાતા અમેરિકામાં કોરોનાગ્રસ્તની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. તો મોતનો આંક 56 હજારની પાર પહોંચ્યો છે. અંતેડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિયેતનામ યુદ્ધમાં જેટલા અમેરિકન નથી મર્યા તેટલા 4 મહિનામા કોરોનાથી લોકો મર્યા છે. જે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે છે.
અમેરિકામાં એક દિવસમાં 23 હજારથી વધુ કેસ
બંધ કરેલી પ્રેસ કોન્ફરન્સ ટ્રમ્પે ફરી ચાલુ કરી
ભારતીય મૂળના મનિષા અમેરિકન દૂતાવાસમાં નિયુક્ત
વિયેતનામ યુદ્ધમાં જેટલા અમેરિકન નથી મર્યા તેટલા 4 મહિનામા મર્યા
અમેરિકામા એટલા લોકો મરી ગયા છે તેટલા મોત આ પહેલા 20 વર્ષ ચાલેલા વિયેતનામ યુદ્ધ દરમિયાન થયા હતા. પરંતુ કોરોનાને લીધે ફક્ત 4 મહિનામાં જ એટલા મોત થઈ ગયા છે. જે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે દુખદ છે. અમેરિકા અને વિયેતનામની વચ્ચે 1955થી 1975 સુધી ચાલેવા યુદ્ધને કારણે 58, 220 લોકો માર્યા ગયા હતા. જેમાં 47 , 434 યુદ્ધના મેદાનમાં મર્યા હતા. આટલા મોત કોરોનાથી અમેરિકામાં થયા છે. જે વિયેતનામ યુદ્ધના બરાબર મોત હોવાથી શંકા છે. અમેરિકામાં એક દિવસમાં 23 હજારથી વધુ કેસ
અમેરિકામાં હાલ કોરોનાગ્રસ્તની સંખ્યા 1,010,507 છે . તો કોરોનાને લીધે મોતનો આંક 56,803 પહોંચ્યો છે. અમેરિકામાં 138,990 લોકો સાજા તથા એક્ટિવ કેસની સંખ્યા 814,714 થઈ છે. અમેરિકાની આ સ્થિતિની વચ્ચે પણ ડોનાલ્ડ ટ્રમ્પને લોકડાઉનમાં કે કોરોનાને રોકવા કરતા વધારે રસ અર્થવ્યવસ્થાને સાચવવા તથા પોતાની લોકપ્રિયતાને સતત બનાવી રાખવામાં રસ છે. જેમ કે પોતાના કીટાણુનાશક ઈન્જેક્શન દર્દીઓને આપવા જેવા મુર્ખામી ભર્યા નિવેદન બાદ જેમ એક તાનાશાહ પોતાની સમીક્ષા ન સાંભળી શકે તેમ ટ્રમ્પ પણ એ સાંભળી શક્યા નહોતા અને તેમણે 3 દિવસથી પ્રેસ કોન્ફરન્સ બંધ કરી દીધી છે. કેમ કે મીડિયા તેમને વારંવાર કોરોના માટે શુ પગલા ભરો છો એવા સવાલ પુછી રહી હતી. જોકે તેમણે ફરી પ્રેસ કોન્ફરન્સ ચાલુ કરી દીધી છે.
ટ્રમ્પ કહે છે મોતનો અંદાજ 70 હજારનો છે
કોરોનાને મુદ્દે ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં મૃતકોની સંખ્યા 70 હજાર થઈ શકે છે. તેમજ તેમણે એમ પણ કહ્યું કે શરુઆતમાં દર્શાવેલા અનુમાનની સરખામણીએ આ અંદાજ વધારે હતો. આ સાથે જ તેમણે નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં મતદાતાઓએ તેને જ ફરી કેમ ચુંટવો જોઈએ તે કહેવાનો પણ પ્રયત્ન કર્યો છે.
ચીન સામે 140 મિલિયન અમેરિકન ડૉલરથી વધુ દાવો માંડી શકે છે
ટ્રમ્પે કહ્યુ કે કે તે ચીનની સામે ગંભીર તપાસ કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો છેકે તેમનુ વહીવટી તંત્ર બેઈજિંગ પાસે 140 મિલિયન અમેરિકન ડૉલરથી વધુ વળતર માંગી શકે છે. ટ્રમ્પે સોમવારે ગાર્ડન પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જર્મનીએ ચીનને મોકલેલા 130 બિલિયન (140 બિલિયન અમેરિકી ડૉલર)ના બિલ મોકલવાની યોજના વિશે પુછાતા તેમણે જવાબ આપ્યો હતો કે હજું સુધી આપણુ કામ ચાલુ છે અંતિમ ખર્ચની રકમનો નિર્ણય નથી લીધો.
એ બાદ કોરોના માટે તેમણે શુ કામ કર્યુ એ કહેવાની જગ્યાએ અપને મુહ મિયા મિટ્ટુ જેવો ઘાટ ઘડાય એવી ટ્વીટ કરવી જરુરી સમજી પોતે મહેનતુ રાષ્ટ્રપતિ હોવાની વાત કરી હતી. જોકે તજજ્ઞોના સમજાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમજ વ્હાઈટ હાઉસે ટ્વીટ કરી સ્વાસ્થ્ય સલાહકારોના વિશેષજ્ઞોની સલાહના તેને અલગ અલગ તબક્કાવાર તેને ખોલવામાં આવશે.
President @realDonaldTrump's plan for Opening Up America Again outlined a three-phased approach based on the advice of public health experts.
Today, we're laying out the blueprint for testing and rapid response programs called for in the plan.https://t.co/8JKY0040jJ
ત્યારે અમેરિકાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય મૂળના મનીષા સિંહને ઓઈસીડીમાં અમેરિકન દૂતાવાસમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રમ્પે મનીષા સિંહને આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન(આઈસીડી)માં અમેરિકાના દૂત તરીકે નિયુક્ત કર્યા છે. મનીષા ભારત-અમેરિકાન રાજનીતિજ્ઞ છે. તેમજ તે વિદેશ વિભાગના સહાયક મંત્રી છે. તેઓ હાલ આર્થિક અને વ્યાપારિક બાબતો જોવે છે.