દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ભલે ઓછી હોય પણ અનેક રાજ્યોમાં કોરોના વધતા તે ખતરનાક સાબિત થવાનો સંકેત આપ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45882 નવા કેસ આવ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા 90 લાખ પાર થઈ છે. આ સાથે ગુજરાતના અમદાવાદમાં કોરોના સતત વકરી રહ્યો છે. આ કારણે અહીં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે.
દેશમાં કોરોનાના કુલ 90 લાખ દર્દી
24 કલાકમાં કોરોનાના 45882 નવા કેસ આવ્યા
અમદાવાદમાં કોરોના સતત વકરતા લાગ્યો કર્ફ્યૂ
સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં અત્યારસુધીમાં 84,28,409 લોકો રિકવર થયા છે. દેશમાં અત્યારસુધીમાં 4 લાખ 43 હજાર 794 એક્ટિવ કેસ છે. 24 કલાકમામં થયેલા મોત બાદ દેશમાં મૃતકોની સંથ્યા 1 લાખ 32 હજાર 162 થઈ છે. ICMRના આધારે 24 કલાકમાં કુલ 10,83,397 કોરોના દર્દીની તપાસ થઈ છે. આ સમયે દેશમાં દિલ્હીની સ્થિતિ ખૂબ જ નાજુક છે.
भारत में पिछले 24 घंटों में #COVID19 के 45,882 नए मामले आने के बाद कुल मामलों की संख्या 90,04,366 हुई। 584 नई मौतों के बाद कुल मौतों की संख्या 1,32,162 हुई।
491 की कमी के बाद सक्रिय मामले 4,43,794 हुए। 44,807 नए डिस्चार्ज के बाद कुल ठीक हुए मामलों की संख्या 84,28,410 हुई। pic.twitter.com/FyB9shEEQ6
દિલ્હીમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 5.1 લાખ થઈ છે અને 98 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા 8041 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર 24 કલાકમાં આરટીપીસીઆરથી 22067 લોકો સહિત 62437 લોકોના ટેસ્ટ થયા છે. દિલ્હીમાં તહેવારના કારણે સંક્રમણ દર વધીને 12.09 ટકા થયો છે.
कल (19 नवंबर) तक कोरोना वायरस के लिए कुल 12,95,91,786 सैंपल टेस्ट किए गए, जिनमें से 10,83,397 सैंपल कल टेस्ट किए गए: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19pic.twitter.com/3ZduOZEtNN
ગુજરાતમાં કોરોનાના 1340 નવા કેસ આવ્યાા છે. સાથે જ અહીં સંક્રમિતોની કુલ સંખ્યા 192982 થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 3830 થયો છે. 1113 લોકોને સારવાર બાદ રજા અ્પાઈ છે. હાલમાં ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો કહેર ફેલાયો હોવાથી અહીં શુક્રવાર રાતના 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લગાવાયો છે. આ સાથે દવા અને દૂધની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. એસટી બસની અવરજવર પણ કર્ફ્યૂના સમયમાં બંધ રહેશે તેમ સરકારે જણાવ્યું છે.