રાજ્ય સહિત છેલ્લા બે દિવસથી કોરોનાનું સ્થાનિક સંક્રમણ રોકટગતિ વધી રહ્યું છે. તેની વચ્ચે અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 31 દર્દી દાખલ થયા.
અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધી
બે દિવસમાં કોરોનાના 31 દર્દી થયા દાખલ
હાલ 260 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ નોંધાયા છે.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 9837 કેસ નોંધાયા છે. બીજી તરફ 7 લોકોનું મૃત્યુ થયું છે. રાજ્યમાં મૃત્યુ પામનારાઓની સંખ્યામાં અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુના આંકડા નોંધાઈ રહ્યા છે. બીજી તરફ નજર કરીએતો ગત 18 જાન્યુઆરીએ 5998 નવા કેસ તો 3ના મોતના આંકડા નોંધાયા. જે 19 જાન્યુઆરીએ બમણી ગતિએ કેસ વધ્યા અને 8391 નવા કેસ અને 6ના મોત થયા છે. જ્યારે 20 જાન્યુઆરીએ કોરોનાના કેસ 9હજારને પાર પહોંચી ચુક્યા છે.
બે દિવસમાં કોરોનાના 31 દર્દીઓ દાખલ થયા
મહત્વનું છે કે, અમદાવાદમાં ગત 19 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમા 7 દર્દીઓ વેન્ટિલેટર પર હતાં. જે 20મી જાન્યુઆરીએ આંક વધીને 16 પર પહોંચવા પામ્યો હતો. હાલ શહેરની વિવિધ હોસ્પિટલમાં કુલ 710 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે,રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં 3 664 લોકો સ્વસ્થ થયા છે. તો 28 598 લોકોએ રસી લીધી છે. ઉલ્લેખનીય છે કે,શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કેસ સૌથી વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા કામગીરી શરૂ કરાઈ છે.