વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે શહેરમાં એક જ દિવસમાં ચાર ગણા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો
એક જ દિવસમાં કોરોનાના 16 કેસ નોંધાયા
કેસ વધતા મનપાનું આરોગ્ય વિભાગ અલર્ટ
દિવાળીના તહેવાર બાદ જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાં ફરી કોરોના માથું ઉચકી રહ્યું છે, તહેવારોની સિઝન બાદ રાજ્યના મોટા શહેરોમાં કોરોનાનું જોખમ વધી ગયુ છે. વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ કોરોના સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. શહેરમાં એક જ દિવસમાં ચાર ગણા કેસ સામે આવતા આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થઈ ગયું છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ નોંધાયા છે. જ્યારે 36 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 16 કેસ સામે આવ્યા છે શહેરના પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે 16 કેસમાંથી 11 અને 13 વર્ષના બે બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જો કે કોરોનાને કારણે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી.
એક જ દિવસમાં ચાર ગણા કેસ વધ્યા
નવેમ્બર મહિનાના 10 દિવસમાં જ શહેરમાં 52 કેસ નોંધાયા છે અને તેની સામે 23 લોકો સાજા થયા છે.કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ પણ અલર્ટ થઇ ગયું છે. અમદાવાદમાં બહારથી આવતા લોકોનું ટ્રેસિંગ અને ટ્રાવેલ હીસ્ટ્રી તપાસવામાં આવશે તો દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસ વધવાની શક્યતાને લઇને ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.
કેસ વધતા મનપાનું આરોગ્ય વિભાગ અલર્ટ
20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. જ્યારે 14 જુલાઈએ 41 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 11 નવેમ્બરે 42 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. જ્યારે 3 શહેર અને 25 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.75 ટકા પર સ્થિર રહ્યો છે. હાલ રાજ્યમાં 42 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 36 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ચાર મહિના બાદ કોરોનાના સૌથી વધુ કેસ આવ્યા છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના નવા કેસ ડબલ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 826ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.