છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવ્યા તો 45ના મોત
18,294 લોકો સાજા થયા તો સક્રિય કેસનો આંકડો 1,48,881એ પહોંચ્યો
ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ 18,294 લોકો કોરોનાની સારવાર દરમ્યાન સાજા થઈ ગયા છે. તો આજે કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે. આ તરફ હવે કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરાઈ રહ્યા છે.
ભારતમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોઇ તેને રોકવું ખૂબ જ જરૂરી બન્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો આંકડો 21 હજારથી પણ વધુ પહોંચી જતાં ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ હવે હાલ દેશમાં સક્રિય કેસનો આંકડો પણ 1,48,881 પહોંચ્યો છે. તો સામે દૈનિક હકારાત્મકતા દર 4.25%એ પહોંચ્યો છે.
#COVID19 | India reports 21,566 fresh cases and 18,294 recoveries in the last 24 hours.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. જોકે કોરોનાની સારવાર દરમ્યાન 18,294 લોકો સાજા થઈ ગયા છે. આ તરફ આજે કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે.