'લાલ સિંહ ચઢ્ઢા'ને 10,000 શો સાથે આખા દેશમાં રીલીઝ કરવામાં આવી હતી. પણ જેટલા શો છે એ પ્રમાણમાં દર્શકો ફિલ્મ જોવા માટે પંહોચ્યા નહતા.
આમીરની ફિલ્મ કુલ 180 કરોડના બજેટમાં બની છે
'લાલ સિંહ ચઢ્ઢા'ને 10,000 શો સાથે આખા દેશમાં રીલીઝ કરવામાં આવી હતી
પહેલાં જ દિવસે શો જોવા માટે પૂરતા 10 લોકો પણ નહતા થયા
વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય. રક્ષાબંધનાનાં મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી. એક આમીર ખાનની ફીમ 'લાલ સિંહ ચઢ્ઢા' અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ' રક્ષાબંધન'. બન્ને ફિલ્મોની એડવાન્સ બુકિંગ સમયે ટક્કર ચાલી રહી હોય એવું જોવા મળી રહ્યું હતું.
#Lal Singh Chadda first day app business 11.5-12 Cr. Total Screen Count 3500 , Shows/Day 5 total shows day 1 17500 per show collection Rs 6850 may be 30 tickets per show super flop
'લાલ સિંહ ચઢ્ઢા'એ પહેલા જ દિવસે 12 કરોડનું કલેક્શન કર્યું હતું. આમીરની ફિલ્મ કુલ 180 કરોડના બજેટમાં બની છે. ફિલ્મ રક્ષાબંધન લાલ સિંહ ચઢ્ઢાથી કમાણીમાં પાછળ રહી ગઈ છે. પહેલાં દિવસે રક્ષાબંધન ફિલ્મે કુલ 9 કરોડની કમાણી કરી હતી.
એક મીડિયા રીપોર્ટ અનુસાર 'લાલ સિંહ ચઢ્ઢા'ને 10,000 શો સાથે આખા દેશમાં રીલીઝ કરવામાં આવી હતી. પણ જેટલા શો છે એ પ્રમાણમાં દર્શકો ફિલ્મ જોવા માટે પંહોચ્યા નહતા. દર્શકોની કમીને કારણે આમીરની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ના લગભગ 1300 જેટલા શો કેન્સલ કરવામાં આવ્યા છે. એક રીપોર્ટ અનુસાર કેટલીક જગ્યાએ એ એવા હાલ હતા કે રીલીઝનાં પહેલાં જ દિવસે શો જોવા માટે પૂરતા 10 લોકો પણ નહતા થયા અને તેને કારણે ઘણાં શો રદ કરવામાં આવ્યા હતા.
સાથે જ અક્ષયકુમારની ફિલ્મનાં પણ કોઈ સારા હાલ નથી. પહેલાં દિવસે ફિલ્મ રક્ષાબંધન જોવા માટે પણ લોકો પંહોચ્યા નહતા અને હાલત એવી બની છે કે અક્ષય કુમારની ફિલ્મના 1000 જેટલા શો કેન્સલ કરવામાં આવ્યા હતા.
બોલીવુડનાં સુપરસ્ટારની ફિલ્મ આવી રીતે પીટાશે એવું મેકર્સે વિચાર્યું પણ નહીં હોય. આ વર્ષની બે મોટી ફ્લોપ મુવી આપ્યા પછી અક્ષય કુમારની ત્રીજી ફિલ્મ રીલીઝ થઇ ચુકી છે. ભાઈ-બહેનનાં સંબંધો પર બનેલ આ ફિલ્મને રક્ષાબંધનનાં તહેવારનો ફાયદો મળ્યો નથી. ફિલ્મ રક્ષાબંધન તો લાલ સિંહ ચઢ્ઢાથી પણ કમાણીમાં પાછળ રહી ગઈ છે.