રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
તલાટી ભરતી માટે 22 લાખ અરજી
3437 જગ્યા માટે 22 લાખ અરજી
એક દિવસમાં 4 લાખ ફોર્મ ભરાયા
રાજ્યમાં તલાટી ભરતી માટે 22 લાખ અરજી
રાજ્યમાં બેરોજગારીનો આંક દિવસે-દિવસે વધી રહ્યો છે. સરકારી નોકરી માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારએ રાજયમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ તેને માંડ એક સપ્તાહ જેટલો સમય થયો છે, ત્યારે રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલા 22 લાખ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીના ફોર્મ https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે. ત્યારે રાજ્યભરમાંથી અત્યાર સુધી 3437 જગ્યાઓ માટે 22 લાખ લોકોએ અરજી કરી છે. આમ હાલ તલાટીની એક પોસ્ટ માટે 640 ઉમેદવારો મેદાનમાં છે.
ફોર્મ ભરવાના હજુ 2 દિવસ બાકી હોવાથી અરજીની સંખ્યા વધશે
તલાટીની ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં હજુ બે દિવસ બાકી હોવાથી અરજીની સંખ્યામાં વધારો થવાની સંભાવના સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, તલાટી કમ મંત્રીની ભરતી માટે 3,437 જગ્યાઓ બહાર પડી છે, તેની સામે હાલ પર્યત 22 લાખ ઉમેદવારો અરજી કરી ચૂક્યા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિક્તા દર્શાવે છે અને યુવાનોને પુરતી રોજગારી મળી રહે છે એવા સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડે છે.