આ અસર મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જોવા મળી છે, કારણ કે કોરોનાના નવા કેસોમાં તીવ્ર વધારો થયો છે.
કોરોના વાયરસના એક્ટિવ કેસમાં નોંધાયો ઉછાળો
નવેમ્બર મહિના પછી પહેલી વાર બની આ ઘટના
કોરોનાના વધતાં સંક્રમણને લીધે મહારાષ્ટ્રના અમુક શહેરોમાં આંશિક લોકડાઉન લગાવાયું
છેલ્લા 24 કલાકમાં, ભારતમાં એક્ટિવ કોરોના કેસોની સંખ્યામાં 4421નો વધારો થયો છે. આ એક્ટિવ કેસોમાં 3 ટકાનો વધારો છે અને તેના કારણે ભારતમાં છેલ્લા 17 દિવસમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1.5 લાખને વટાવી ગઈ છે. સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, નવેમ્બરના અંત પછી એક્ટિવ દર્દીઓની સંખ્યામાં આ સૌથી મોટો ઉછાળો છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
એક્ટિવ કેસોમાં નોંધાયો છે મોટો ઉછાળો
એક્ટિવ દર્દીઓની સંખ્યા કોરોનાના નવા કેસો અને તંદુરસ્ત લોકોના આંકડા વચ્ચેના તફાવત દ્વારા 24 કલાકમાં જાહેર થાય છે. આ પાંચ દિવસોમાં, 13,506 એક્ટિવ દર્દીઓનો વધારો થયો છે. ગયા અઠવાડિયે, એક્ટિવ દર્દીઓમાં વધારાની દર 1.5 ટકા હતી, જે હવે બમણી થઈ ગઇ છે. દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા 16 ફેબ્રુઆરીએ 9121 એટલે કે દસ હજારથી નીચે આવી ગઈ હતી, પરંતુ 22 ફેબ્રુઆરીએ આ સંખ્યા 14,199 પર પહોંચી ગઈ.
જો છેલ્લા એક અઠવાડિયાના વૃદ્ધિ દરની વાત કરીએ, તો આ સરેરાશ 13.8 ટકા છે. આ અસર મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં જોવા મળી છે કારણ કે આ રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં તીવ્ર વધારો થયો છે.કેન્દ્રે આ પાંચ રાજ્યોને કોવિડ -19 સંબંધિત નિયમોનું સંપૂર્ણ પાલન કરવાની ચેતવણી આપી છે, કારણ કે સંક્રમણની ચેઇનને તોડવા માટે આ જરૂરી બની જશે.
આ પાંચ રાજ્યોમાં વધી રહ્યા છે કેસો
સૌથી મોટી ચિંતા એ છે કે 74 ટકા એક્ટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ દરરોજ નવા કેસો વધી રહ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં, એક અઠવાડિયામાં નવા કેસની સરેરાશ સંખ્યા 5230 હતી, જે 2 ડિસેમ્બરના રોજ 5576 દર્દીઓ પછી સૌથી વધુ છે. 22 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રમાં 6971 કેસ મળી આવ્યા હતા, જે 24 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત થયેલા 7347 કેસ પછીનો સૌથી વધુ છે.કેરળમાં છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસની સરેરાશ સંખ્યા 4361 છે. જ્યારે 22 ફેબ્રુઆરીએ 4070 દર્દીઓ મળી આવ્યા હતા.