એક પત્રકારે લોકોને મદદ કરવા માટે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર વેચી દીધો છે. તેમને આ પુરસ્કાર વર્ષ 2021માં ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના ક્ષેત્રમાં કામ કરવા બદલ મળ્યો હતો.
એક પત્રકારે લોકોની મદદ માટે નોબેલ પ્રાઈઝની હરાજી કરી
હરાજીમાં મળ્યા 800 કરોડ રૂપિયા
યુદ્ધને કારણે યુક્રેનથી બહાર આવેલા બાળકોને મદદ કરશે
નોબલ પ્રાઈઝની હરાજી
દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક નોબેલ શાંતિ પુરસ્કાર જીતનારા એક પત્રકારે લોકોની મદદ માટે એક મોટું પગલું ભર્યું છે. તેણે પોતાનો એવોર્ડ વેચી દીધો. આ પ્રાઈઝના બદલામાં પત્રકારને હેરિટેજ ઓક્શનથી લગભગ 800 કરોડ રૂપિયા મળ્યા છે. રશિયન પત્રકારનું નામ દિમિત્રી મુરાટોવ છે. તેઓ સ્વતંત્ર ન્યુઝપેપર Novaya Gazeta ના એડિટર-ઇન-ચીફ છે. દિમિત્રીએ કહ્યું હતું કે આ નોબલ પ્રાઈઝના હરાજીથી જે પણ પૈસા મળશે તે યુક્રેનમાં યુદ્ધને કારણે ઘર છોડવા મજબૂર લોકોને મદદ કરવા માટે તમામ રકમ આપી દેશે.
2021 નો શાંતિ પુરસ્કાર મળ્યો
દમિત્રીને વર્ષ 2021 માં નોબેલ પીસ પ્રાઈઝ એટલે કે શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેમને આ પુરસ્કાર ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પ્રાસંગિકતા બચાવી રાખવા માટે મળ્યો હતો. તેમને આ એવોર્ડ પત્રકાર મારિયા રેસા સાથે મળ્યો હતો. મારિયા ફિલીપાઇન્સની ન્યૂઝ સાઇટ રેપલરની કો-ફાઉન્ડર છે. મારિયા અને દિમિત્રી તેમના તપાસ અહેવાલો માટે જાણીતા છે. આ કારણે બંને પત્રકારોને તેમના દેશના નેતાઓના નિશાન પર પણ રહે છે.
Dmitry Muratov – awarded the 2021 #NobelPeacePrize – has for decades defended freedom of speech in Russia under increasingly challenging conditions. In 1993, he was one of the founders of the independent newspaper Novaja Gazeta, @novaya_gazeta.#NobelPrizepic.twitter.com/AXF8a3CDGZ
રશિયાએ ઘણા રિપોર્ટર અને મીડિયાને બેન કર્યા
ખાસ વાત એ પણ છે કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાના થોડા સમય બાદ જ Novaya Gazeta ને બંધ કરી દેવામાં આવ્યું હતું. કારણ કે ત્યારે રશિયન સરકારે કહ્યું હતું કે જો કોઈ યુક્રેન પરની રશિયન કાર્યવાહીને "વોર" તરીકે જણાવે છે, તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે અને તેને બંધ કરી દેવામાં આવશે. રશિયન સરકાર તેની તેની કાર્યવાહીને "સ્પેશિયલ મિલીટરી ઓપરેશન" જણાવે છે.
લોકો સમજે કે યુદ્ધ ચાલી રહ્યું છે
હરાજીમાં દમિત્રીના નોબેલ પુરસ્કાર માટે કોણે 800 કરોડની બોલી લગાવી છે, તે હજુ સુધી બહાર આવ્યું નથી. હેરિટેજ ઓક્શને જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં ગોલ્ડ મેડલના વેચાણમાંથી મળનારા નાણાં યુનિસેફની મદદ માટે આપવામાં આવશે. જેથી યુદ્ધને કારણે યુક્રેનથી બહાર આવેલા બાળકોને મદદ મળી શકે. હરાજી બાદ દમિત્રીએ એક વીડિયો સંદેશમાં કહ્યું- સૌથી મહત્વની વાત એ છે કે લોકો વાતને સમજે કે યુદ્ધ ચાલી રહ્યું છે. સાથે જ આપણે સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને મદદ કરવી જોઈએ.