સુરેન્દ્રનગરના ચોટીલામાં જાહેરમાં ફાયરિંગ થતા અફર-તફરી મચી ગઈ હતી. ચોટીલાના થાન રોડ પર વાસૂકી દાદાના મંદિર પાસે થયેલા ફાયરિંગમાં એક યુવકનું મોત નીપજ્યું છે
ચોટીલામાં ધોળા દિવસે ફાયરિંગ
ફાયરિંગમાં ઝીંઝુડાના યુવકનું મોત
અંગત અદાવત હોવાનું કારણભૂત
સુરેન્દ્રનગરના ચોટીલામાં જાહેરમાં ફાયરિંગ થતા અફર-તફરી મચી ગઈ હતી. ચોટીલાના થાન રોડ પર વાસૂકી દાદાના મંદિર પાસે થયેલા ફાયરિંગમાં એક યુવકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે થાન રોડ પર ધોળા દિવસે થયેલા જાહેર માર્ગ પર ઝીંઝુડાના યુવક પર થયેલા ફાયરિંગમાં યુવક ધર્મેન્દ્ર ખાચરનું મોત નીપજ્યું હોવાના સ્હથાનિક અહેવાલ મળી રહ્યા છે . આ ઘટનાને અંજામ આપવા લગભગ ત્રણ થી ચાર યુવકો આવ્યા હોવાનું મનાય છે. 2થી 3 રાઉન્ડ ફાયરિંગ થતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઘાયલ યુવકને ચોટીલા હોસ્પિટલમાંસારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક રીતે મળતી માહિતી પ્રમાણે જૂની અંગત અદાવતમાં આ યુવક પર ફાયરિંગ થયું હોવાની માહિતી સાંપડી છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી.