ગાંધીનગર અડાલજ અન્નપુર્ણાધામ ટ્રસ્ટ ખાતે કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલ તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણિ આરોગ્ય ધામનું ભૂમિપૂજન આજે PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યાં હતાં.
કુમાર છાત્રાલયનું ખાતર્મુહત PM મોદીએ કર્યુ હતું
આ અંગે જનસહાયક ટ્રસ્ટ તથા અન્નપુર્ણાધામ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને કહ્યું હતું કે, અન્નપુર્ણા મંદિર ખાતે 9000 ચોરસવાર જમીન પર 50 કરોડના ખર્ચે 58000 ચીરસફૂટના બાંધકામ સાથેનું હીરામિણ આરોગ્યધામ બનશે. જેમાં એક સાથે 14 વ્યક્તિઓના ડાયાલીસીસ થઈ શકે તેવી સુવિધા ઉભી ક૨વામાં આવશે. જેમાં બ્લડ અને દવા 24 કલાક મળી રહે તેવી સુવિધા અપાશે.
600 વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની અધ્યતન સુવિધા યુક્ત છાત્રાલય બનાવાયું છે
બીજી તરફ અન્નપુર્ણાધામ ટ્રસ્ટ દ્વારા અડાલજ ખાતે 600 વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની અધ્યતન સુવિધા યુક્ત છાત્રાલય બનાવાયું છે. જીપીએસસી, યુપીએસસીના ટ્રેનિંગ સેન્ટર, ઈ-લાઈબ્રેરી સાથે અંદાજે 25 કરોડના ખર્ચે હોસ્ટેલ બની છે. જેમાં 150 રૂમ, 200ની ક્ષમતાની ઈ-લાઈબ્રેરી, વીઆઈપી ગેસ્ટરૂમ, ડાઈનિંગ સહિતની સુવિધાઓ ઉભી ક૨વામાં આવી છે આ માટે આયોજન મુજબ હાલમાં તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે.
આજના લોકાર્પણથી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તક મળશે: CM ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સરકાર દરેક સમાજને પાયાની સુવિદ્યા પહોંચાડે છે , ગાંધીનગરના અડાલજમાં અન્નપુર્ણાધામ ટ્રસ્ટ ખાતે કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તક મળશે. શિક્ષણ માટેની યુવાનો ઉતમ તાલીમ મળશે. પહેલા આપણા દેશમાં માળખાકીય સુવિધા નહતી. દેશમાં દરેક જિલ્લામાં ડાયાલીસીસ સેન્ટરનું લક્ષ્ય છે. વન નેશન વન ડાયાલીસીસ સેન્ટર અંતર્ગત 31 કેન્દ્રો શરૂ કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમને સંબોધન કર્યું
અન્નપૂર્ણા ધામ કાર્યક્રમ વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધતાં જણાવ્યું હતું કે, પાટીદારો તો ધરતી માતા સાથે સીધા જ જોડાયેલા રહ્યા છે, આ સાથે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ કર્યો હતાં.તેઓ વધુમાં ઉમેર્યુ હતું કે, શિક્ષા પોષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સમાજના માટે ગુજરાતનો સ્વાભાવ રહ્યો છે. જેવી જેની તાકત દરેક સમાજ કંઈક ને કંઈક પોતાનું યોગદાન નીભાવે છે. અને તેમાંય પાટીદાર સમાજ પણ ક્યારે પાછું નથી રહેતું.
પાટીદાર સમાજ તો ધરતી માતા સાથે સીધો જોડાયેલો છે- PM મોદી
PM મોદીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ તો ધરતી માતા સાથે સીધો જોડાયેલો છે, મા ના પ્રતિ આ અઘાત આસ્થા થકી થોડા મહિના પહેલા જ મા અન્નપૂર્ણાની મૂર્તિને અમે કેનેડાથી પાછા કાશી લઈ આવ્યા છે જેની ચોરી દશકો પહેલા ભારતથી થઈ હતી.આપણી સંસ્કૃતિમાં ભોજન, આરોગ્ય અને શિક્ષા પર હંમેશાથી પ્રાથમિકતા આપવામાં આવી છે.