નવા ધારાસભ્યોએ મંત્રી પદને લઈ આપી પ્રતિક્રિયા; ધારાસભ્યોમાં ખૂબ જ ઉત્સાહ છે તેમજ સબંધો અને વિશ્વાસ સાથે આ સરકાર આગળ વધશે: હર્ષ સંઘવી
નવા ધારાસભ્યોએ મંત્રી પદને લઈ આપી પ્રતિક્રિયા
ધારાસભ્યોમાં ખૂબ જ ઉત્સાહ છે: હર્ષ સંઘવી
મંત્રીપદને લઈ કહ્યું 'બિલકુલ નહી': કિશોર કાનાણી
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં કોને-કોને સ્થાન મળશે અને એનું જ્ઞાતિ સમીકરણ કેવું હશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આજે ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગી છે ત્યાર તેમના મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈ અનેક ચર્ચાઓએ ગતિ પકડી છે.
હર્ષ સંઘવીનું નિવેદન
તેમણે કહ્યું તમામ ધારાસભ્યોમાં ખૂબ જ ઉત્સાહ છે તેમજ સબંધો અને વિશ્વાસ સાથે આ સરકાર આગળ વધશે.
હાર્દિક પટેલે મંત્રીપદને લઈ શું કહ્યું?
હાર્દિક પટેલે જણાવ્યું કે, મુંખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થઈ છે. તેમના નેતૃત્વમાં ફરી ગુજરાત મજબુત થશે તેમણે મંત્રીમંડને લઈ ક્યું કે જે પણ હશે તે શિરોમાન્ય હશે તેમજ સૌ સાથે મળીને કામ કરશો.
ડી.કે.સ્વામી- ધારાસભ્ય,જંબુસરનું નિેવેદન
તેમણે કહ્યુંકે, ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે અને ભારતીય જનતા પાર્ટી સૌના સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે કામ કરશે તેમણે કહ્યું કે, મારી પ્રાથમિકતા જુના પ્રશ્નોના નિરાકરણ ઉકેલીશ તેમજ રોડ-રસ્તા તેમજ સિંચાઈના પાણીની રહેશે તેમણે કહ્યું કે, તેમણે મંત્રીપદને લઈ કહ્યું કે, પાર્ટી જે નિર્ણય લેશે યોગ્ય રહેશે.
હાઈકમાન્ડ જે કામગીરી સોંપશે તે મુજબ કામગીરી કરીશું; રાઘવજી પટેલ
તેમણે કહ્યું કે, નિકાલસ વ્યક્તિત્વ ધરાવતા ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન મોદીના એજન્ડાને આગળ ધપાવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પછી હાઈકમાન્ડ જે કામગીરી સોંપશે તે મુજબ કામગીરી કરીશું.
કાંતિ અમૃતિયાનું નિવેદન
તેમણે કહ્યું ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય પાર્ટી અને મોદીજીએ સારો લીધો છે તેમણે કહ્યું કે, રાજ્યને સારામાં સારા મુખ્યમંત્રી મળ્યા છે. તેમણે કહ્યું આ ભવ્ય વિજય વડાપ્રધાન મોદીની મહેનતથી થઈ છે. તેમણે મંત્રીપદને લઈ કહ્યું કે, એ પાર્ટી નક્કી કરેશે.
મંત્રીપદને લઈ કહ્યું બિલકુલ નહી: કિશોર કાનાણી
કિશોર કાનાણીએ જણાવ્યું કે, રાજ્યની જનતાએ વડાપ્રધાન મોદીજી પર ભરોસો ભૂકી વિકાસની રાજનીતિને વિજય બનાવી છે તેમજ દેશ સુરક્ષા, ધર્મની સુરક્ષા માટે અમને વિજય બનાવ્યા છે જે લોકો રાષ્ટ્ર વિરોધી વિચારધારા, ધર્મ વિરોધી વિચારધારા ધરાવતા લોકોને જનતાઓ ઠોકરાવ્યા છે. તેમને પુછવામાં આવ્યું કે, ભૂપેન્દ્ર ભાઈના મંત્રી મંડળની ટીમમાં કાનાણી હશે તેમણે જવાબ આપ્યો કે, બિલકુલ નહી.
કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા
તેમણે જણાવ્યું કે, પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી માટે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઈ છે તેમણે જે કામ કર્યું છે સારૂ હતું તેમજ સૌને સાથ સાથે સૌના વિકાસ સાથે તેમણે કામ કર્યું છે તેમણે કહ્યું કે, મંત્રીપદને લઈ તેમણે કહ્યું કે, જે પાર્ટી નિર્ણય કરશે તે આવકાર્ય રહેશે.
જીતુ વાઘાણીનું નિવેદન
વાઘાણી જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી માટે પ્રસ્તાવ રજુ થઈ ગયો છે તેમણે જણાવ્યું કે, ખુશીની વાત છે તેઓ મુખ્યમંત્રી બનાવા જઈ રહ્યાં છે.
કનુ દેસાઈનું મંત્રીમંડળને લઈ નિવેદન
કનુ દેસાઈ જણાવ્યું કે, આજે મુખ્યમંત્રી માટે ભૂપેન્દ્ર પટેલનો પ્રસ્તાવ રજુ કર્યો હતો જેમાં તમામ સભ્યો સમર્થન આપ્યો છે તેમણે જણાવ્યું કે, ગુજરાતનો સૌથી મોટો બનાવ છે કે, 156 ધારાસભ્યો નવા મુખ્યમંત્રી માટે પ્રસ્તાવ મુક્યો છે.
ગણપત વસાવા મંત્રી મંડળને લઈ પ્રતિક્રિયા
તેમણે જણાવ્યું કે, અમે સૌએ મુખ્યમંત્રી માટે ભૂપેન્દ્ર પટેલને ટેકો જાહેર કર્યો છે અને અમે આઠ-દસ ધારસભ્યો રાજ્યપાલને મળવાના છીએ અને પ્રસ્તાવને રજુ કરીશું. તેમણે મંત્રી મંડળને લઈ કહ્યું કે તે પણ પાર્ટી નક્કી કરશે.