અમદાવાદમાં ચાલતા રાઇડના કાળાકારોબાર વિશે વીટીવી પાસે એક એક્સક્લૂઝીવ માહિતી સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં આવેલા અમ્યૂઝમેન્ટ પાર્કને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં કાંકરિયાના સંચાલક ઘનશ્યામ પટેલ પાસે જ વસ્ત્રાપુરનો કોન્ટ્રાક્ટ હોવાનું સામે આવ્યું છે. ઘનશ્યામ પટેલ સામે ચકાસણી વગર જોખમી રાઇડ ચાલુ રાખવાની ફરિયાદ નોંધાઇ છે. ત્યારે હવે વસ્ત્રાપુર તળાવમાં આવેલા અમ્યૂઝમેન્ટ પાર્ક પર પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે, વસ્ત્રાપુર અમ્યૂઝમેન્ટ પાર્કમાં પણ જોખમી રાઈડ્સ નાખવામાં આવી છે. 12 વર્ષથી ઉપરના લોકોને જ બેસાડી શકાય તેવી 3 રાઇડ્સ વસ્ત્રાપુરમાં છે.